અમદાવાદ: રાજ્યમાં પ્રી મોન્સુન એકટીવિટી શરૂ ? જુઓ હવામાન વિભાગે શું કરી આગાહી

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી ભારે પવન પણ ફૂંકાશે હવામાન વિભાગે આપી માહિતી

New Update
અમદાવાદ: રાજ્યમાં પ્રી મોન્સુન એકટીવિટી શરૂ ? જુઓ હવામાન વિભાગે શું કરી આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે

Advertisment

રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અનેક શહેરો અને જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશન ટ્રફ દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાની લઈને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાય છે. જેને કારણે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાયા છે.સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી છે.રાજકોટ, અમરેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે.બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની સંભાવના જોવા મળશે.વધુમાં હવામાન વિભાગે 28 થી 29 મેના રોજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી હતી.

Advertisment
Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment
Latest Stories