અમદાવાદ : સાબરમતી નદીનું "કદરૂપુ" સ્વરૂપ, સફાઇના નામે મીંડુ, ગંદકીની ભરમાર

સાબરમતીમાં નદીમાં ઠેર ઠેર ઉગી નીકળેલી વનસ્પતિઓના કારણે નદી ઉપર લીલા રંગની ચાદર પાથરી હોય તેમ લાગી રહયું છે..

New Update
અમદાવાદ : સાબરમતી નદીનું "કદરૂપુ" સ્વરૂપ, સફાઇના નામે મીંડુ, ગંદકીની ભરમાર

અમદાવાદની સાબરમતી નદીની સફાઇ તથા આસપાસના વિસ્તારોના વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાયો હોવા છતાં નદીમાં ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. નદીમાં ઠેર ઠેર ઉગી નીકળેલી વનસ્પતિઓના કારણે નદી ઉપર લીલા રંગની ચાદર પાથરી હોય તેમ લાગી રહયું છે.....

અમદાવાદની ઓળખ ગણાતી સાબરમતી નદીમાં રેલવે ઓવરબ્રિજથી ડફનાળા સુધી નદીમાં લીલનું સામ્રાજય જોવા મળી રહયું છે. સાબરમતી નદીની સફાઇ અને આસપાસના વિસ્તારોના વિકાસ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરાય રહયો છે. સાબરમતી નદીનો રીવર ફ્રન્ટ શહેરીજનો તથા સહેલાણીઓ માટે આર્કષણનું કેન્દ્ર બન્યો છે. રોજના લાખો લોકો સાબરમતી નદી અને રીવરફ્રન્ટ જોવા માટે આવતાં હોય છે. સફાઇના અભાવે સાબરમતી નદી ગટરગંગા બની હોય તેમ લાગી રહયું છે. નદીમાં ઠેર ઠેર વનસ્પતિ ઉગી નીકળી હોવાના કારણે સાબરમતી નદી ગંદી- ગોબરી લાગી રહી છે.... તાજેતરમાં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ પણ તેમના ટવીટર પર સાબરમતી નદીની તસવીર ટવીટ કરી પ્રોજેકટ સામે સવાલો ઉઠાવ્યાં છે.....

સાબરમતી નદી ગંદી-ગોબરી હોવાની તસવીરો વાયરલ થતાંની સાથે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના અધિકારીઓને ખબર પડી કે નદીની આવી હાલત છે જેથી તાત્કાલિક ધોરણે નદીમાં સાફ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

સાબરમતી નદીની સફાઇની વાત કરવામાં આવે તો તારીખ 1 થી 19 ઓક્ટોબર સુધીમાં નદીમાંથી કુલ 377 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં 40 થી વધારે મજૂરો દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ હાલમાં સાબરમતી નદીમાં પાણીનું સ્તર ઓછું હોવાથી સુભાષ બ્રિજ પાસે બનાવેલ રેમ્પ નજીક સ્કીમર મશીન જઈ શકતું નથી. જેના કારણે કચરાને ખાલી કરવા માટે સરદારબ્રિજ પાસેના રેમ્પ પર જવું પડે છે. કામગીરીનું સ્થળ અને કચરાના નિકાલના સ્થળ વચ્ચે ખુબ જ અંતર હોવાથી હાલના તબક્કામાં સદર જગ્યાએ મેન્યુઅલી તથા તરાપા વડે નદીની સાફ સફાઈની ઝુંબેશ પૂરજોશમાં ચાલુ છે.

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ વિસ્તારમાં નદીના ભાગમાં ઉપરવાસમાંથી સતત ગ્રીન વેસ્ટ તેમજ ફ્લોટિંગ વેસ્ટ આવતા રહે છે. જેના નિકાલ માટેની કામગીરી શરૂ કરાઇ છે. હજી પણ નદીમાંથી લીલી વનસ્પતિના નિકાલની કામગીરી સતત ચાલુ છે પણ અહીં કામ કરનાર લોકોનું કહેવું છે કે ક્યારે સફાઈ અભિયાન પૂર્ણ થશે તે કેહવું મુશ્કેલ છે કારણ કે પવનની દિશા જેમ બદલાઈ તેમ આ વનસ્પતિ પણ પોતાની જગ્યા બદલે છે.

Latest Stories
Read the Next Article

અમદાવાદ : પૂર્વ સીએમ વિજય રૂપાણીના DNA મેચ થયા, રાજકોટમાં કરવામાં આવશે અંતિમસંસ્કાર

ત્રણ દિવસ બાદ આજે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ મેચ થતા તેમના મૃતદેહની ઓળખ થઈ છે. વિજય રૂપાણીના પરિવાજનોને હવે તેમનો મૃતદેહ સોંપવામાં આવશે.

New Update
  • અમદાવાદ ગોઝારી પ્લેન ક્રેશની દુર્ઘટના

  • મૃતદેહના કરવામાં આવ્યા DNA ટેસ્ટ

  • વિજય રૂપાણીના મૃતદેહની થઇ ઓળખ

  • રાજકોટ ખાતે કરવામાં આવશે અંતિમ સંસ્કાર

  • અત્યાર સુધીમાં 14 મૃતદેહો સોંપવામાં આવ્યા 

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું પણ નિધન થયું હતું.DNA ટેસ્ટ બાદ તેમના મૃતદેહની ઓળખ થઇ હતી,અને રાજકોટ ખાતે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.જે અંગેની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે.

અમદાવાદના ભયાવહ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું છે.જોકે આ વિમાનમાં 242 મુસાફરો યાત્રા કરી રહ્યા હતા. જે પૈકી એક યાત્રીનો સદનસીબે બચાવ થયો હતો. આ સિવાય બાકીના 241 યાત્રીઓના મૃતદેહની ઓળખ માટે ડીએનએ ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ દિવસ બાદ આજે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો ડીએનએ રિપોર્ટ મેચ થતા તેમના મૃતદેહની ઓળખ થઈ છે.

વિજય રૂપાણીના પરિવાજનોને હવે તેમનો મૃતદેહ સોંપવામાં આવશે.જોકે તેમના અંતિમસંસ્કાર રાજકોટ ખાતે કરવામાં આવશે.રાજકોટના નિર્મલા રોડ પર આવેલી પ્રકાશ સોસાયટીના તેમના નિવાસસ્થાને મૃતદેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે.રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપી હતી.

મીડિયા સાથે વાત કરતા સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે જણાવ્યું હતું કેઅમદાવાદ વિમાન દુર્ઘટનામાં અત્યારસુધી કુલ 32 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા છે. જ્યારે 14 મૃતદેહોને તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. મૃતકોને સોંપાયેલા મૃતદેહોમાં અમદાવાદના 4મહેસાણાના 4વડોદરાના 2ખેડાનો 1અરવલ્લીના 1બોટાદના 1 અને ઉદયપુર(રાજસ્થાન)ના 1 મૃતદેહનો સમાવેશ થાય છે.

Latest Stories