અમદાવાદ: સી પ્લેન સેવા રિપેરિંગના નામે છેલ્લા 11 મહિનાથી બંધ,જુઓ ક્યારે પુન:શરૂ થશે મહત્વકાંક્ષી પ્રોજેકટ

સી-પ્લેન વારંવાર મરામત માટે બહાર લઇ જવું પડે છે. આ સુવિધા શરૂ થયાને 11 મહિના થયા છે પરંતુ તે પૈકી સાત મહિના તો બંધ રહી છે.

New Update
અમદાવાદ: સી પ્લેન સેવા રિપેરિંગના નામે છેલ્લા 11 મહિનાથી બંધ,જુઓ ક્યારે પુન:શરૂ થશે મહત્વકાંક્ષી પ્રોજેકટ

ગુજરાતમાં પીએમ નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી અમદાવાદના રિવરફ્રન્ટ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સી-પ્લેન સુવિધાને રિપેરીંગનું ગ્રહણ લાગી ચૂક્યું છે. સી-પ્લેન વારંવાર મરામત માટે બહાર લઇ જવું પડે છે. આ સુવિધા શરૂ થયાને 11 મહિના થયા છે પરંતુ તે પૈકી સાત મહિના તો બંધ રહી છે.

31મી ઓક્ટોબર 2020માં રિવરફ્રન્ટ થી કેવડિયા સુધી આ સી-પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવી હતી.આ સર્વિસમાં એક સાથે 19 લોકો બેસી શકે છે.અત્યાર સુધીમાં 2500 જેટલા લોકોએ તેમાં મુસાફરી કરી છે. ચોંકાવનારી બાબત તો એવી છે કે આ સર્વિસ શરૂ થયા પછી અત્યાર સુધીમાં 200થી વધુ દિવસો સુધી બંધ રહી છે, કારણ કે તેના એરક્રાફ્ટને મરામત કામ માટે વારંવાર માલદિવ્સ મોકલવામાં આવ્યું છે. વર્તમાનમાં હાલ સ્પાઇસ જેટની પેટા કંપની સ્પાઇસ શટલ સી-પ્લેન ચલાવે છે. આ સર્વિસ માટે વિમાન ઉત્પાદકો સાથે ચર્ચા ચાલી રહી છે પરંતુ નવા પ્લેન ક્યારે આવશે તે નિશ્ચિત નથી. રાજ્યની તત્કાલિન વિજય રૂપાણીની સરકારમાં સિવિલ એવિએશન વિભાગ સંભાળતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કેન્દ્રના એવિયેશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને એક પત્ર લખીને ગુજરાતમાં સી-પ્લેન ખરીદવા 120 કરોડ રૂપિયાની માંગણી કરી હતી પરંતુ સરકારના નેતૃત્વ પરિવર્તન થતાં હવે નવી સરકારમાં ફરીથી માંગણી કરવાની થાય છે. રાજ્યના સિવિલ એવિએશન મંત્રી પૂર્ણેશ મોદી નું કહેવું છે કે તેઓ સી-પ્લેનની માગણી પર ઝડપથી નિર્ણય લેવાય તે માટે પ્રયાસ કરશે.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.