અમદાવાદ : જુહાપુરા વિસ્તારમાં 2 રીઢા ગુનેગારોના ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું...

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નઝીર વોરાના ઝુબેદા હાઉસ નામના ગેરકાયદે બાંધકામ ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું

New Update
  • જુહાપુરા વિસ્તારમાં મનપા દ્વારા કાર્યવાહી કરાય

  • જુહાપુરામાં 2 ગુનેગારોના ઘર પર બુલડોઝર ફર્યું

  • નઝીર વોરા અને સરફરાઝ કીટલીના ઘર ધ્વસ્ત

  • પોલીસ બંદોબસ્ત વચ્ચે બાંધકામ ઉતારી લેવાયું

  • કાર્યવાહીના પગલે અન્ય દબાણકર્તાઓમાં ફફડાટ 

અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં ગુનેગારો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે બાંધકામો પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તને સાથે રાખી ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

અમદાવાદમાં ગુનેગારોના ગેરકાયદે બાંધકામો ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છેત્યારે શહેરના જુહાપુરા વિસ્તારમાં અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી નઝીર વોરાના ઝુબેદા હાઉસ નામના ગેરકાયદે બાંધકામ ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બંગલા પ્રકારના બાંધકામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

368 ચોરસ મીટર જેટલી જગ્યામાં આરોપીએ બાંધકામ કર્યું છેજે ગેરકાયદે હોવાને લઈને એને ડિમોલિશન કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી નઝીર વોરા વેજલપુર અને સરખેજ સહિતના પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુનાઓમાં આરોપી તરીકે સંડોવાયેલો છે. તો બીજી તરફજુહાપુરા વિસ્તારમાં જ સોનલ ચાર રસ્તા પાસે આવેલા અહેસાન પાર્કમાં સરફરાઝ કીટલીના ગેરકાયદે બાંધકામ ઉપર પણ બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.

Read the Next Article

અમદાવાદ : PM મોદીના જન્મદિવસ પ્રસંગે રક્તદાન અમૃત મહોત્સવ 2.0 થીમ અંતર્ગત વિશ્વનો સૌથી મોટો મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

PM મોદીના જન્મદિવસ પ્રસંગે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા 'રક્તદાન અમૃત મહોત્સવ 2.૦' થીમ અંતર્ગત વિશ્વનો સૌથી મોટો 'મેગા બ્લડ ડોનેશન કેમ્પ' યોજાયો

New Update
  • PM મોદીના જન્મદિવસની ઉજવણી

  • રક્તદાન અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી

  • વિશ્વનો સૌથી મોટો મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયો મેગા બ્લડ ડોનેશન કેમ્પ

  • ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા કેમ્પનો કરાયો પ્રારંભ 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રધાનમંત્રી મોદીના 75માં જન્મદિવસ પ્રસંગે અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા 'રક્તદાન અમૃત મહોત્સવ 2.૦થીમ અંતર્ગત વિશ્વનો સૌથી મોટો 'મેગા બ્લડ ડોનેશન કેમ્પયોજાયો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની દેશભરમાં લોકો અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છેત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદ દ્વારા 'રક્તદાન અમૃત મહોત્સવ 2.૦થીમ અંતર્ગત વિશ્વનો સૌથી મોટો 'મેગા બ્લડ ડોનેશન કેમ્પયોજાયો હતો.

ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ કેમ્પનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું કેવડાપ્રધાન  નરેન્દ્ર મોદીના 'સેવા પરમો ધર્મ'ના વિઝનથી પ્રેરિત આ પહેલ માનવતા પ્રત્યે કરુણા અને સામૂહિક જવાબદારીની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ અભિયાનનો ઉદ્દેશ્ય 75 દેશોમાં 7500થી વધુ કેમ્પ દ્વારા 3 લાખ યુનિટ રક્ત એકત્રિત કરવાનો છે. આ કાર્યક્રમ સાબિત કરે છે કેજન્મદિવસ ની સાચી ઉજવણી અન્યના જીવનમાં ખુશી અને આશા લાવવાથી થાય છે.