Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : "લગ્ને લગ્ને કુંવારો", 5 યુવતીઓ સાથે લગ્ન કરી વિશ્વાસઘાત કરનાર "વરરાજા" ઝડપાયો...

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં લગ્ને લગ્ને કુવારા યુવકે એક નહીં, પરંતુ 5 યુવતીઓ સાથે લગ્ન કરીને વિશ્વાસઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

X

અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં લગ્ને લગ્ને કુવારા યુવકે એક નહીં, પરંતુ 5 યુવતીઓ સાથે લગ્ન કરીને વિશ્વાસઘાત કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવકની ચોથી પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

આરોપી પ્રબજોત ઉર્ફે પંકજ પંજાબીએ લગ્ન કરવાની હદ વટાવી દીધી છે. તેણે એક કે, બે નહીં પરંતુ 5 લગ્ન કર્યા હોવાનો ઘટસ્ફોટ તેની ચોથી પત્નીએ કર્યો છે. કદાચ આ અમદાવાદ અને ગુજરાતનો પ્રથમ કિસ્સો હોય તેવું માનવમાં આવી રહ્યું છે. વર્ષ 2016 માં ખાનગી કંપનીમાં મહિલાનો પરિચય આરોપી પ્રબજોત પંજાબી સાથે થયો હતો. યુવતીના પ્રથમ પતિ સાથે છુટાછેડા થઈ જતા વર્ષ 2018માં પ્રબજોતે પોતે કુવાંરો હોવાનું કહીને યુવતી સાથે તેનો પ્રેમ પાંગર્યો હતો. ત્યારબાદ બન્નેએ મંદિરમાં લગ્ન કરીને લીવ ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા. આ દરમ્યાન એક દિકરીનો જન્મ થયો હતો. આ મહિલાએ પ્રબજોતને કોર્ટ મેરેજ કરવાનું કહેતા આરોપી ઘર છોડીને ફરાર થઈ ગયો હતો, ત્યારે તેની અગાઉની એક પત્ની તેનો ફોટો લઈને મહિલાના ઘરે પહોંચતા પ્રબજોતનો ભાંડો ફૂટ્યો હતો. મહિલાએ આક્ષેપ કર્યો છે કે, પ્રબજોતે પરણિત હોવા છતાં કુવારો કહીને લગ્ન તો કર્યા પરંતુ પોતે શરૂ કરેલા કાફે અને લકઝરીયર્સ ગાડી વેચીને રૂપિયા ચાઉં કરી ગયો છે. જોકે, આરોપીએ અગાઉ દર્શના સૈની, સંતવિન્દર કૌર, હિમાચલ પ્રદેશમાં રહેતી ચારૂ શર્મા સાથે પણ લગ્ન કર્યા હતા. હવે શાર્મીન નામની યુવતી સાથે લગ્ન કરીને લીવ ઈનમાં રહેતો હોવાનો ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. આ આરોપીએ એક નહિ પરંતુ 5 યુવતી સાથે સંબંધના નામે વિશ્વાસઘાત કર્યો હોવાથી સોલા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

Next Story