અમદાવાદ: ડાર્ક વેબથી USના ડ્રગ્સ ડીલરના સંપર્ક દ્વારા ક્રિપ્ટો કરન્સીથી પેમેન્ટ કરી ડ્રગ્સ મંગાવનાર 2 આરોપીની ધરપકડ

ગુજરાતમાં પહેલીવાર મેજીક મશરૂમનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવાલા સિસ્ટમથી ચાલતો ડ્રગ્સ કારોબાર પકડાયો.

New Update
અમદાવાદ: ડાર્ક વેબથી USના ડ્રગ્સ ડીલરના સંપર્ક દ્વારા ક્રિપ્ટો કરન્સીથી પેમેન્ટ કરી ડ્રગ્સ મંગાવનાર 2 આરોપીની ધરપકડ

ગુજરાતમાં પહેલીવાર પ્રતિબંધિત મેજીક મશરૂમ જે નશા માટે વપરાય છે તેની સાથે ઈન્ટરનેશલ ગુણવતાનો ગાંજાનો જથ્થો પકડી પડ્યો છે. ગુજરાતમાં પહેલીવાર મેજીક મશરૂમનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. અમેરિકાથી ઓનલાઈન ડાર્ક વેબ મારફતે ઇન્ટરનેશનલ ડ્રગ ડીલર સંપર્ક કરીને હવાલા સિસ્ટમથી ચાલતો ડ્રગ્સ કારોબાર પકડાયો. ક્રિપ્ટો કરન્સીથી ચુકવણી કરીને બાય કાર્ગો એર કુરિયર થી પ્રતિબંધિત નશાકારક પદાર્થો મંગાવીને સમગ્ર રાજ્યમાં ગેરકાયદેસર વેચાણ કરતા બે આરોપીની ગ્રામ્ય એસઓજીએ ધરપકડ કરી છે.અમદાવાદ ગ્રામ્ય SOG એ ઓનલાઈન ડ્રગ્સ મંગાવીને વેચાણ કરતા આનંદનગરના રહેવાસી વંદિત પટેલ અને વેજલપુરના પાર્થ શર્માની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી પોલીસે અમેરિકન હાઇબ્રીડ ગાંજો, અમેરિકન ચરસ, લોકલ ચરસ, મેજિક મશરૂમ તથા શેટર જેવા નશાકારક ડ્રગ્સ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ આ ડ્રગ્સ ઓનલાઈન મંગાવીને અમદાવાદ સહિત અનેક શહેરોમાં વેચતો હતો. અને ડ્રગ્સ વેચવા માટે છેલ્લા ઘણા સમયથી બોપલ વિસ્તારમાં સલૂન પણ ખોલવામાં આવ્યું હતું.જે સલૂનની આડમાં કોલેજોના યુવાધનને ટાર્ગેટ કરી જેમનો સોશિયલ મીડિયા મારફતે બિન્દાસ રીતે ડ્રગ્સ કારોબાર ચલાવતો હતો.

પોલીસ કસ્ટડીમાં ઉભેલો આ મુખ્ય આરોપી વંદિત પટેલ અને તેનો સાગરીત છે. જેમની પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું આવ્યું છે કે વર્ષ 2018માં અભ્યાસ અર્થે સિંગાપુર ગયો હતો. તે દરમિયાન વિદિત પોતે પણ ડ્રગ્સ આદિ બન્યો હતો અને પોતે એજ્યુકેટેડ હોવાથી અને ઇન્ટરનેટ, ડાર્ક વેબ, ઇન્ટરનેશનલ ડ્રગ્સ ચેઇન, ક્રિપ્ટોકરન્સી બાબતે જાણકારી હોવાથી ડાર્ક વેબ મારફતે ઇન્ટરનેશનલ ડ્રગ ઓનલાઇન સંપર્ક કરીને હવાલા સિસ્ટમ મારફતે વિદેશમાં ક્રિપ્ટોકરન્સીથી પેમેન્ટની ચુકવણી કરીને કાર્ગો એર કુરિયર મારફતે ગુજરાતમાં અલગ-અલગ સરનામાં પર ડ્રગ્સ પાર્સલો મંગાવતો હતો. જો કે સ્કેનર માં પકડાઈ ના જાય તે માટે ખાસ પ્લાસ્ટિકની બેગમાં ડ્રગ્સ છુપાવીને કોઈ પણ વસ્તુ ઓની આડમાં મંગવતો હતો. પોલીસે આ પ્લાસ્ટિકની બેગ પણ કબ્જે કરી છે. જે બેગ બનાવવામાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો છે તેની જાણકારી મેળવવા માટે તેને FSL માં પણ મોકલવામાં આવશે.

હાલમાં આરોપીની પૂછપરછ માં એ પણ સામે આવ્યું છે કે લોકલ ચરસ તે હિમાચલ પ્રદેશથી મંગાવતો હતો. જેથી પોલીસે હિમાચલ પ્રદેશના ગુડ્ડુ ભાઈ, સુરતના ફેનીલ, બોપલના નીલ પટેલ, શ્યામલ ચાર રસ્તા પાસે રહેતા વિપુલ ગોસ્વામી , થલતેજના જીલ પરાઠે અને વાપીના આકીબ સિદ્દીકીના નામ બહાર આવતા તેમને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. આરોપી એ અત્યાર સુધીમાં રૂપિયા એક કરોડથી વધુ રકમ નું ડ્રગ્સ વેચી દીધું હોવાનું સામે આવ્યું છે. જ્યારે પકડાયેલા અન્ય આરોપી પાર્થ શર્માએ પણ મંગાવેલ ડ્રગ્સનો જથ્થો જ્યાં રાખવામાં આવ્યો છે. તેનું ધ્યાન રાખતો ઉપરાંત જ્યારે મુખ્ય આરોપી ગેરહાજર હોય ત્યારે તે લોકોને ડ્રગ્સ પૂરું પાડતો હતો. જેના બદલેમાં તેને દર મહિને રૂપિયા 20 થી 25 હજાર મળતા હતા.માનવામાં આવી રહ્યું છે કે આ પ્રકારનું કન્સાઇનમેન્ટ ગુજરાતમાં પ્રથમ વખત આવ્યું હતું જેનાથી NCB, CISF અને એરપોર્ટ ઓથોરિટી પણ અચંબામાં મુકાઈ છે

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.