અમદાવાદ : વાડજમાં થયેલી રૂ. 4.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, મહારાષ્ટ્રના શખ્સની ધરપકડ...

વાડજ વિસ્તારમાં દોઢેક મહીના પહેલાં આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવીને સોનાના દાગીના ભરેલી બેગ લઈ ફરાર થયેલા મહારાષ્ટ્રના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

New Update
અમદાવાદ : વાડજમાં થયેલી રૂ. 4.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, મહારાષ્ટ્રના શખ્સની ધરપકડ...

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં દોઢેક મહીના પહેલાં આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવીને સોનાના દાગીના ભરેલી બેગ લઈ ફરાર થયેલા મહારાષ્ટ્રના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

ગત તા. 1લી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારીના મોપેડ પરથી સોના-ચાંદીના દાગીના અને ડાયમંડ ભરેલી બેગની ઉઠાંતરી કરી એક શખ્સ ફરાર થઈ ગયો હતો. આરોપીએ અન્ય ત્રણ લૂંટારૂઓ સાથે મળીને આ બનાવને અંજામ આપ્યો હતો. જોકે, લૂંટ કર્યા બાદ આરોપી મુદ્દામાલ સાથે તેના વતન મહારાષ્ટ્રના નંદુરબાર જતો રહ્યો હતો, અને મુદ્દામાલનો ભાગ પાડવા માટે અમદાવાદ આવ્યો હતો, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીને ઝડપી 4.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આરોપી ઉપેશ અભંગેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, કુબેરનગરના આરોપી વિશાલ તનવાણી અને પ્રતીક પનવેકરે લૂંટના ગુનાને અજામ આપવા ષડયંત્ર રચ્યું હતું. જેમાં 2 આંગડિયા પેઢીને ટાર્ગેટ કરીને 4 દિવસ સુધી રેકી કરી હતી. જેમાં અમૃત કાંતિ આંગડિયા પેઢીના કર્મચારીઓને ટાર્ગેટ કર્યા હતા. તપાસમાં એ પણ સામે બહાર આવ્યું કે, લૂંટ કરવા માટે ઉપેશને મહારાષ્ટ્રથી અમદાવાદ બોલાવ્યો હતો, અને ઓઢવમાં એક મકાન ભાડે રાખીને લૂંટનો સમગ્ર પ્લાન બનાવ્યો હતો. એટલું જ નહીં, સ્થાનિક આરોપીનું નામ ન ખૂલે તે માટે ઉપેશને લૂંટ માટે બોલાવીને કાવતરું ઘડ્યું હતું. પરંતુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં લૂંટારાઓનો ભાંડો ફૂટ્યો, અને મુખ્ય આરોપી ઝડપાય જતાં અન્ય આરોપીના પણ નામ બહાર આવ્યા છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.