અમદાવાદ : વાડજમાં થયેલી રૂ. 4.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, મહારાષ્ટ્રના શખ્સની ધરપકડ...

વાડજ વિસ્તારમાં દોઢેક મહીના પહેલાં આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવીને સોનાના દાગીના ભરેલી બેગ લઈ ફરાર થયેલા મહારાષ્ટ્રના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

New Update
અમદાવાદ : વાડજમાં થયેલી રૂ. 4.50 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, મહારાષ્ટ્રના શખ્સની ધરપકડ...

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં દોઢેક મહીના પહેલાં આંગડિયા પેઢીના કર્મચારીની નજર ચૂકવીને સોનાના દાગીના ભરેલી બેગ લઈ ફરાર થયેલા મહારાષ્ટ્રના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે.

ગત તા. 1લી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારીના મોપેડ પરથી સોના-ચાંદીના દાગીના અને ડાયમંડ ભરેલી બેગની ઉઠાંતરી કરી એક શખ્સ ફરાર થઈ ગયો હતો. આરોપીએ અન્ય ત્રણ લૂંટારૂઓ સાથે મળીને આ બનાવને અંજામ આપ્યો હતો. જોકે, લૂંટ કર્યા બાદ આરોપી મુદ્દામાલ સાથે તેના વતન મહારાષ્ટ્રના નંદુરબાર જતો રહ્યો હતો, અને મુદ્દામાલનો ભાગ પાડવા માટે અમદાવાદ આવ્યો હતો, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે આરોપીને ઝડપી 4.50 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આરોપી ઉપેશ અભંગેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, કુબેરનગરના આરોપી વિશાલ તનવાણી અને પ્રતીક પનવેકરે લૂંટના ગુનાને અજામ આપવા ષડયંત્ર રચ્યું હતું. જેમાં 2 આંગડિયા પેઢીને ટાર્ગેટ કરીને 4 દિવસ સુધી રેકી કરી હતી. જેમાં અમૃત કાંતિ આંગડિયા પેઢીના કર્મચારીઓને ટાર્ગેટ કર્યા હતા. તપાસમાં એ પણ સામે બહાર આવ્યું કે, લૂંટ કરવા માટે ઉપેશને મહારાષ્ટ્રથી અમદાવાદ બોલાવ્યો હતો, અને ઓઢવમાં એક મકાન ભાડે રાખીને લૂંટનો સમગ્ર પ્લાન બનાવ્યો હતો. એટલું જ નહીં, સ્થાનિક આરોપીનું નામ ન ખૂલે તે માટે ઉપેશને લૂંટ માટે બોલાવીને કાવતરું ઘડ્યું હતું. પરંતુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં લૂંટારાઓનો ભાંડો ફૂટ્યો, અને મુખ્ય આરોપી ઝડપાય જતાં અન્ય આરોપીના પણ નામ બહાર આવ્યા છે.

Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories