અમદાવાદ: કોટ વિસ્તારમાં પાણીની સમસ્યા થશે દૂર.! મનપા 77 કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાખશે

77 કરોડના ખર્ચે નવી પાઇપ લાઇનો નાખવામાં આવશે. અમદાવાદમાં જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ અનેક નવી જરૂરિયાત પણ ઉદ્ભવે છે.

New Update
અમદાવાદ: કોટ વિસ્તારમાં પાણીની સમસ્યા થશે દૂર.! મનપા 77 કરોડના ખર્ચે નવી પાઇપલાઇન નાખશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોટ વિસ્તાર અને મોટેરા, ચાંદખેડા જેવા વિસ્તારમાં પાણી સમસ્યા ન ઉદભવે તે માટે77 કરોડના ખર્ચે નવી પાઇપ લાઇનો નાખવામાં આવશે. અમદાવાદમાં જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ અનેક નવી જરૂરિયાત પણ ઉદ્ભવે છે.

ત્યારે અમદાવાદના કોટ વિસ્તાર અને મોટેરા, ચાંદખેડામાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા 77.16 કરોડના ખર્ચે નવી પાઇપ લાઇન નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પાઇપ લાઇન પશ્ચિમ વિસ્તારમાં સાબરમતી નદી પરથી 9.15 કિમી લાંબી પાઇપ લાઇન નાખી પાણી ચાંદખેડા સુધી પહોચાડવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં કોતરપુર ખાતે 300 MLD પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. હાલના સમયમાં દરિયાપુર, વાડજ, સાબરમતી, શાહીબાગ, જમાલપુર, દુધેશ્વર જેવા વિસ્તારમાં 800MM પાઇપલાઇનથી પાણી પહોચડવામાં આવતું હોવાથી પાણીનું પ્રેશર ઓછું હોવાની ફરિયાદ સામે આવી હતી જે હવે 1600 MM પાઇપલાઇન નાખી ચાંદખેડા સુધી પાણી પહોંચાડવામાં આવશે.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.