અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઇન્ડેક્ષ 200થી વધારે નોંધાયો

દેશમાં પ્રદૂષણને કારણે હવા પણ પ્રદૂષિત બની રહી છે, ત્યારે લોકોને બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે.

New Update
અમદાવાદની હવા બની ઝેરી, એર ક્વોલિટી ઇન્ડેક્ષ 200થી વધારે નોંધાયો

દેશમાં પ્રદૂષણને કારણે હવા પણ પ્રદૂષિત બની રહી છે, ત્યારે લોકોને બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય છે. ત્યારે દેશની રાજધાની દિલ્હી બાદ રાજ્યના મોટા મહાનગર અમદાવાદમાં પણ હવા પ્રદૂષિત બની છે.

અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં પ્રદૂષિત હવા નોંધાઈ છે ત્યારે શહેરમાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પ્રદૂષિત હવા પ્રદૂષણનો આંક સતત વધી રહ્યો છે. આમ શહેરમાં વધતું જતું પ્રદૂષણ એક ચિંતાનો વિષય બની ગયો છે.દિલ્હીની જેમ અમદાવાદમાં પણ પ્રદૂષણ વકર્યું છે.પીરાણા, રાયખડ શહેરના સૌથી પ્રદૂષિત વિસ્તારોમાં સમાવેશ થાય છે.પ્રદૂષણને એર ક્વોલિટી ઇન્ડેક્સ(AQI)માં માપવામાં આવે છે જેનો મતલબ એ થાય કે હવામાં હાનિકારક કણોનું પ્રમાણ વધી રહ્યું છે.અમદાવાદના લોકો શ્વાસમાં હાનિકારક હવા લઇ રહ્યા છે.અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણની મોનીટરીંગ સિસ્ટમ લગાડવામાં આવી છે.જેમાં શહેરના વાયુ પ્રદૂષણમાં વધારો જોવા મળ્યો છે.દિલ્હી શહેર બાદ અમદાવાદની હવા પણ ઝેરી બની છે.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.

Latest Stories