અંકલેશ્વર: મકાન આપવાની લાલચે દંપત્તિ સાથે રૂ.29 લાખની ઠગાઇ કરનાર ઠગ સામે આખરે નોંધાઈ પોલીસ ફરિયાદ, વાંચો શું છે મામલો

New Update
અંકલેશ્વર: મકાન આપવાની લાલચે દંપત્તિ સાથે રૂ.29 લાખની ઠગાઇ કરનાર ઠગ સામે આખરે નોંધાઈ પોલીસ ફરિયાદ, વાંચો શું છે મામલો

અંકલેશ્વર શહેરની શ્રીધર કો-ઓપરેટીવ સોસાયટીમાં મકાન ઉપર મોર્ગેજ કરી લોન મેળવી મકાન માલિક નિવૃત શિક્ષક દંપતીને ૨૯ લાખમાં છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે

ભરૂચના ઝાડેશ્વર રોડ ઉપર આવેલ કવિતાધામ રહેતા શિવાની દલપતસિંહ ચૌહાણના માતા-પિતા શિક્ષક તરીકે નિવૃત થયા છે જેઓ અંકલેશ્વરના રામ નગર પાસે પુનીત નગરમાં રહે છે જે નિવૃત્ત દંપતીએ પુત્રી માટે મકાન લેવાની ઈચ્છા હોવાથી છાપામાં જાહેરાત જોઈ હતી કે શ્રીધર કો-ઓપરેટીવ સોસાયટીમાં આવેલ મકાન નંબર-ડી.૭૭ મકાન વેચવાનું છે જેથી નિવૃત્ત દંપતી પુત્રી સાથે મકાન જોવા ગયા હતા અને મકાન તેઓને પસંદ આવતા તેઓએ મકાન માલિક અને જલારામ સોસાયટી મિલ કમ્પાઉન્ડમાં ચિત્રકૂટમાં રહેતા ચેતન રમેશ પટેલને મળ્યા હતા જેઓએ મકાન ૨૯ લાખમાં વેચાણ કરવાનું કહેતા શિક્ષક દંપતી ખરીદી કરવાની તૈયારી બતાવતા મકાન માલિકે એક મહિનામાં પુરેપુરી રકમ આપવા જણાવ્યું હતું અને જો મહિનામાં રૂપિયા નહી આપે તો ૫૦ હજાર વધારે લેવાનું કહેતા ગત તારીખ-૧૫-૫-૨૦૧૪માં દસ્તાવેજથી ખરીદી કરી હતી જેઓએ ૧૩ લાખ રોકડા અને ૧૬ લાખ ચાર ચેકથી આપ્યા હતા જે બાદ મકાનના દસ્તાવેજ માટે વૃદ્ધ દંપતી અવાર નવાર ચેતન પટેલને ત્યાં ધક્કો ખાતા તેઓએ બહાના બતાવી તાળી રહ્યો હતો અને તે દરમિયાન ગત તારીખ-૧૭-૧-૨૩માં બેંક ઓફ બરોડાની પઝેશન નોટીસ બેંકના અધિકારી લગાવી જતા મકાન ખરીદી કરનાર દંપતીના હોસ ઉડી ગયા હતા મૂળ મકાન માલિકે બેંક ઓફ બરોડામાંથી મોર્ગેજ હેઠળ ૧૫.૨૦ લાખની લોન લીધી હોવાનું બહાર આવ્યું હતું જેથી મકાન ખરીદી કરનાર પોતે છેતરાયા હોવાનું માલુમ પડતા તેઓએ અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા પામી છે પોલીસે છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધી ઠગ ચેતન પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.