Connect Gujarat
અમદાવાદ 

અંકલેશ્વર: રાષ્ટ્રીય એક્તા દિવસ નિમિત્તે સરદાર પટેલની પ્રતિમાનું કરાયું અનાવરણ,ABP ન્યૂઝ ચેનલના સંપાદક રોનક પટેલ રહ્યા ઉપસ્થિત

આજરોજ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું

X

આજરોજ સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ અંકલેશ્વર દ્વારા સરદાર સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું

ભારત દેશના લોહ પુરુષ સરદાર પટેલની આજરોજ જન્મજયંતિ એટલે કે રાષ્ટ્રીય એકતા દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર સરદારર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સરદાર પટેલની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું આજરોજ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એ.બી.પી.ન્યૂઝ ચેનલના સંપાદક રોનક પટેલ અને યુવામિત્ર મંડળના પ્રમુખ હીમત દેવાણી,સમાજના પ્રમુખ હસમુખ દૂધાત,સેક્રેટરી દિનેશ ખૂંટ સેક્રેટરી, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જશુ ચૌધરી, ઉદ્યોગપતિ મહેશ પટેલ સહિત સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આગેવાનોએ સરદાર પટેલને નમન કરી તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા

Next Story