સિદ્ધિમાં વધુ એક ઉમેરો: સતત ત્રીજા વર્ષે અમદાવાદને બેસ્ટ હેરિટેજ સિટી અને બેસ્ટ હેરિટેજ વોકનો એવોર્ડ એનાયત

અમદાવાદની સિદ્ધિમાં વધુ એક ઉમેરો થયો છે. મહત્વનું છે કે, અમદાવાદ શહેર દિવસે ને દિવસે બદલાઈ રહ્યું છે.

New Update
સિદ્ધિમાં વધુ એક ઉમેરો: સતત ત્રીજા વર્ષે અમદાવાદને બેસ્ટ હેરિટેજ સિટી અને બેસ્ટ હેરિટેજ વોકનો એવોર્ડ એનાયત

અમદાવાદની સિદ્ધિમાં વધુ એક ઉમેરો થયો છે. મહત્વનું છે કે, અમદાવાદ શહેર દિવસે ને દિવસે બદલાઈ રહ્યું છે. ત્યારે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા પ્રવાસન ક્ષેત્રે વધુમાં વધુ પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે નેશનલ ટુરિઝમ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદને નામ વધુ એક યશકલગી નોંધાઇ છેનેશનલ ટુરિઝમ એવોર્ડ 2022માં અમદાવાદને "બેસ્ટ હેરિટેજ એવોર્ડ" અને અમદાવાદ હેરિટેજ "બેસ્ટ હેરિટેજ વોક" એમ 2 એવોર્ડ પ્રાપ્ત થયા છે.વિશ્વ પર્યાવરણ દિવસના અવસર માં દિલ્હીમાં આવેલા વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્ર સરકાર દ્વારા યોજાયેલા એવોર્ડ માં સતત ત્રીજા વર્ષે અમદાવાદ નેશનલ એવોર્ડ મેળવીને એવોર્ડની હેટ્રિક નોંધાવી છે. આ એવોર્ડ ગ્રહણ કરવા ખુદ અમદાવાદના મેયર કિરીટ પરમાર અને ફરજ પરના ખાસ અધિકારી સી. આર. ખરસાણી પહોંચ્યા હતા AMCએ ટ્વિટ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે, 'આપણા અમદાવાદને નામ વધુ એક સિદ્ધિ યશકલગી. આપણા અમદાવાદે સતત ત્રીજા વર્ષે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય નેશનલ ટુરિઝમ એવોર્ડ માં બેસ્ટ હેરિટેજ સિટી અને બેસ્ટ હેરિટેજ વોક એવોર્ડ મેળવીને અનોખી હેટ્રીક નોંધાવી છે  

Latest Stories
Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.

Latest Stories