સિદ્ધિમાં વધુ એક ઉમેરો: સતત ત્રીજા વર્ષે અમદાવાદને બેસ્ટ હેરિટેજ સિટી અને બેસ્ટ હેરિટેજ વોકનો એવોર્ડ એનાયત

અમદાવાદની સિદ્ધિમાં વધુ એક ઉમેરો થયો છે. મહત્વનું છે કે, અમદાવાદ શહેર દિવસે ને દિવસે બદલાઈ રહ્યું છે.

New Update
સિદ્ધિમાં વધુ એક ઉમેરો: સતત ત્રીજા વર્ષે અમદાવાદને બેસ્ટ હેરિટેજ સિટી અને બેસ્ટ હેરિટેજ વોકનો એવોર્ડ એનાયત

અમદાવાદની સિદ્ધિમાં વધુ એક ઉમેરો થયો છે. મહત્વનું છે કે, અમદાવાદ શહેર દિવસે ને દિવસે બદલાઈ રહ્યું છે. ત્યારે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા પ્રવાસન ક્ષેત્રે વધુમાં વધુ પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે નેશનલ ટુરિઝમ એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. ત્યારે અમદાવાદને નામ વધુ એક યશકલગી નોંધાઇ છેનેશનલ ટુરિઝમ એવોર્ડ 2022માં અમદાવાદને "બેસ્ટ હેરિટેજ એવોર્ડ" અને અમદાવાદ હેરિટેજ "બેસ્ટ હેરિટેજ વોક" એમ 2 એવોર્ડ પ્રાપ્ત થયા છે.વિશ્વ પર્યાવરણ દિવસના અવસર માં દિલ્હીમાં આવેલા વિજ્ઞાન ભવન ખાતે કેન્દ્ર સરકાર દ્વારા યોજાયેલા એવોર્ડ માં સતત ત્રીજા વર્ષે અમદાવાદ નેશનલ એવોર્ડ મેળવીને એવોર્ડની હેટ્રિક નોંધાવી છે. આ એવોર્ડ ગ્રહણ કરવા ખુદ અમદાવાદના મેયર કિરીટ પરમાર અને ફરજ પરના ખાસ અધિકારી સી. આર. ખરસાણી પહોંચ્યા હતા AMCએ ટ્વિટ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે, 'આપણા અમદાવાદને નામ વધુ એક સિદ્ધિ યશકલગી. આપણા અમદાવાદે સતત ત્રીજા વર્ષે ભારત સરકારના પ્રવાસન મંત્રાલય નેશનલ ટુરિઝમ એવોર્ડ માં બેસ્ટ હેરિટેજ સિટી અને બેસ્ટ હેરિટેજ વોક એવોર્ડ મેળવીને અનોખી હેટ્રીક નોંધાવી છે  

Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories