ગુજરાતમાં મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ, ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકીઓની ધરપકડ કરી

ગુજરાત ATSએ એક મોટી કાર્યવાહીમાં અમદાવાદ એરપોર્ટ પરથી શ્રીલંકન મૂળના ISISના ચાર આતંકીઓની ધરપકડ કરી છે.

New Update
ગુજરાતમાં મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ, ATSએ અમદાવાદ એરપોર્ટ પરથી ISISના 4 આતંકીઓની ધરપકડ કરી

ગુજરાતમાં એક મોટા આતંકવાદી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે, ગુજરાત ATSએ એક મોટી કાર્યવાહીમાં અમદાવાદ એરપોર્ટ પરથી શ્રીલંકન મૂળના ISISના ચાર આતંકીઓની ધરપકડ કરી છે. ATSએ તપાસ શરૂ કરી છે કે ધરપકડ કરાયેલા આતંકવાદીઓ સ્લીપર સેલ છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ, ગુજરાત ATSને કેન્દ્રીય એજન્સી તરફથી ઇનપુટ મળ્યા હતા. ત્યારબાદ એટીએસ દ્વારા એરપોર્ટ પર સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને મૂળ શ્રીલંકાના નાગરિકો એવા ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા ચારેય લોકોનું ગુજરાત કે અન્ય કોઈ રાજ્યમાં કોઈ કનેક્શન છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.

કેન્દ્રીય એજન્સી છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ એરપોર્ટ પર સોના અને અન્ય ચીજવસ્તુઓની દાણચોરી પર ચાંપતી નજર રાખી રહી છે. દરમિયાન, કેન્દ્રીય એજન્સી દ્વારા ગુજરાત ATS સાથે કેટલાક ઇનપુટ શેર કરવામાં આવ્યા છે. આ પછી એટીએસની ટીમ દ્વારા એરપોર્ટ પર નજર રાખવામાં આવી હતી. જે દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો હતો અને તેની સઘન પૂછપરછ કરતા ચાર લોકોના નામ બહાર આવ્યા હતા. ધરપકડ કરાયેલા ચાર લોકો ISIS સાથે સંકળાયેલા છે અને લાંબા સમયથી આ આતંકી સંગઠનમાં સક્રિય હતા.

IPLની બે મેચ 21 અને 22 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આજે અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકીઓની ધરપકડ બાદ પોલીસ એલર્ટ થઈ ગઈ છે. એરપોર્ટ હાલ હાઈ એલર્ટ પર છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા લોકસભા ચૂંટણી 2024ની ગુજરાત સીટો માટે મતદાન પહેલા 16 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મેઈલમાં મળી હતી. ત્યારે પોલીસે શાળાની સુરક્ષા વધારી સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.