અમદાવાદ-મહેસાણા હાઇવે પર કારચાલકે 3 શ્રમિકોને ઉડાવ્યાં, ત્રણેયના ઘટનાસ્થળે જ મોત
અમદાવાદ-મહેસાણા હાઇવે પર પૂરપાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા ત્રણ શ્રમિકોના મૃત્યુ નિપજ્યા છે.
BY Connect Gujarat Desk5 Jun 2023 11:11 AM GMT
X
Connect Gujarat Desk5 Jun 2023 11:11 AM GMT
અમદાવાદ-મહેસાણા હાઇવે પર પૂરપાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા ત્રણ શ્રમિકોના મૃત્યુ નિપજ્યા છે.
હાલ કલોલ તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.મળતી માહિતી અનુસાર, અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ પાસે આવેલી પ્રેસ્ટિજ હોટેલ પાસે ત્રણ શ્રમિકો રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે ફૂલ સ્પીડમાં આવેલી સ્વિફ્ટ કારે તેઓને અડફેટે લીધા હતા. આ દુર્ઘટનામાં ત્રણેય શ્રમિકોના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યાં હતા. અકસ્માત બાદ રાહદારીના ટોડે ટોડા ઉમટી આવ્યા હતા. જેમના દ્વારા પોલિસને જાણ કરતાં કલોક પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોચી હતી અને ત્રણેય મૂતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી આગળની તજવીજ હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા કાર ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
Next Story