Connect Gujarat
અમદાવાદ 

નૂપુર શર્મા "વિવાદ" : ભડકાઉ મેસેજ થકી અરાજકતા ફેલાવનાર ઇસમની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ...

પયગંબર મહમદ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીને લઈને નૂપુર શર્માનો ગુજરાત સહિત દેશના અનેક પ્રાંતમાં આકરો વિરોધ કરવામાં આવી રહ્યો છે,

X

પયગંબર મહમદ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીને લઈને નૂપુર શર્માનો ગુજરાત સહિત દેશના અનેક પ્રાંતમાં આકરો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે વાંધાજનક નિવેદન બદલ નૂપુર શર્મા વિરુદ્ધ કાર્યવાહીની માંગ સાથે ઠેર-ઠેર બેનર-પોસ્ટર પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે. તેવામાં સોશિયલ મીડિયામાં જે મેસેજ વાયરલ થયા હતા, તે ફેલાવવા બદલ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં રહેતા ઇરશાહ મોહંમદ અંસારી દ્વારા રાંચી અને ઉત્તરપ્રદેશમાં ચાલતા નૂપુર શર્માનો વિરોધ સોશિયલ મીડિયા એટલે કે, ફેસબુક અને વ્હોટ્સએપના માધ્યમથી મુસ્લિમ સમુદાયમાં ભડકાઉ મેસેજ લખીને વિસ્તારમાં અરાજકતા ફેલાવવાની કોશિશ કરતાં તેની સમગ્ર માહિતી અમદાવાદ સાઇબર ક્રાઇમને મળી હતી, ત્યારે સોશિયલ મીડિયામાં વીડિયો સહિત ભડકાઉ મેસેજ લખવાના આરોપો સાથે ઈરશાહ અંસારીને ધરપકડ કરવામાં આવી છે.

Next Story