/connect-gujarat/media/media_files/2024/12/08/q8Nyeg9aZOKwilrzbewo.jpg)
ગુજરાત પોલીસનાં ઈતિહાસમાં પહેલીવાર આવી ઘટના સામે આવી છે. રાજ્યનાં પોલીસ વડાને મળેલ તોડબાજીની ફરિયાદનાં આધારે 13 પોલીસકર્મીઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 13 પોલીસ કર્મચારીઓની મિલકતની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. DGP દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલને તપાસનો આદેશ આપ્યો છે. તેમજ 13 વહીવટદારોની બદલીનાં આદેશ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ 13 માંથી 3 પોલીસકર્મચારી કાયદાકીય મદદ લેવા જતા આવી પરિસ્થિતિ ઉભી થઈ છે. અમદાવાદ શહેરમાં પણ પોલીસ વહીવટદારોનો પણ વિવાદ વકર્યો છે. 13 વહીવટદારોની બદલી બાદ કાર્યવાહી થઈ છે. તેમજ તેઓની સંપત્તિની પણ તપાસ થશે..
આ 13 પોલીસ કર્મચારીઓ સામે તપાસનો ડીજીપીનો આદેશ
• રાજેન્દ્રસિંહ અજિત સિંહ ગોહિલ-તાપી
• કેયુર ધીરુભાઈ બારોટ-જૂનાગઢ
• સિરાજ રજાકભાઈ મનસુરી- પોરબંદર
• હરવિજયસિંહ દિલીપસિંહ ચાવડા-અમરેલી
• જગદીશ કાંતિલાલ ચૌધરી-પશ્ચિમ કચ્છ
• મહેન્દ્રસિંહ રણછોડભાઈ દરબાર-જામનગર
• ફિરોજખાન મુનસફખાન પઠાણ- બોટાદ
• ઈન્દ્રવિજયસિંહ દાદુભા વાઘેલા- નર્મદા
• મહિપતસિંહ ઉદેસિંહ ચૌહાણ- જામનગર
• લાલજી ચતુરભાઈ દેસાઈ- દ્વારકા
• સમીઉલ્લા યાવરમિયાં ઠાકોર - રાજકોટ ગ્રામ્ય
• જીવણ મેઘજી યાદવ - મહીસાગર
• અક્ષયસિંહ સામસિંહ પુવાર- પૂર્વ કચ્છ