અમદાવાદના 612મા સ્થાપના દિવસની ઉજવણી કરાય, જમાલપુરમાં તમામ સમાજના લોકોએ કેક કાપી રેલી યોજી...

અહમદશાહ બાદશાહ દ્વારા અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે

New Update
અમદાવાદના 612મા સ્થાપના દિવસની ઉજવણી કરાય, જમાલપુરમાં તમામ સમાજના લોકોએ કેક કાપી રેલી યોજી...

અમદાવાદના 612મા સ્થાપના દિવસની માણેક બુર્જ ખાતે તેમજ માણેકચોક સંત માણેકનાથજી સમાધિ ખાતે મેયર સહિતના આગેવાનોએ પૂજા કરીને ઉજવણી કરી હતી. તો બીજી તરફ, જમાલપુર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા અન્ય સમાજને સાથે રાખી અમદાવાદના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Advertisment

અમદાવાદના 612મા સ્થાપના દિવસની આજરોજ શહેરના વિવિધ વિસ્તારમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જમાલપુર દરવાજા ખાતે કેક કાપી ઘોડાગાડી અને ઊંટગાડી સાથે માણેકચોક સુધી રેલી કાઢવામાં આવી હતી. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં વિવિધ ધર્મના લોકો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, અહમદશાહ બાદશાહ દ્વારા અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારથી દર વર્ષે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે જમાલપુરમાં ઉજવણી કરનાર લોકોએ પ્રથમ વખત ઉજવણી કરી હતી. જેથી તમામ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Advertisment
Read the Next Article

અમદાવાદના ચંડોળામાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા સાથે ડિમોલિશનનો બીજો તબક્કો થશે શરૂ

ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જેને લઈને શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી

New Update
Chandola LAke

અમદાવાદમાં તારીખ 20 મે થી ચંડોળા વિસ્તારમાં ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થશે. જેમાં અંદાજે અઢી લાખ ચોરસ મીટરથી વધુની જગ્યા પરના ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. જેને લઈને આજે શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં મહા નગરપાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

Advertisment

અમદાવાદનો ચંડોળા વિસ્તાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને અનધિકૃત વસાહતો અને તેમાં પણ ખાસ કરીને બાંગ્લાદેશી નાગરિકોના રહેઠાણનું કેન્દ્ર બની ગયો છે. અધિકારીઓનું કહેવું છે કેચંડોળા તળાવ વિસ્તાર ઘણા લાંબા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓ માટેનું કેન્દ્ર રહ્યો છે. અગાઉની ઝુંબેશમાં 1.5 લાખ ચોરસ મીટર વિસ્તાર પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

ડિમોલિશનના બીજા તબક્કામાં આશરે 2.5 લાખ ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ હટાવવાનું આયોજન છે. જેના માટેની કામગીરીને સરળ બનાવવા માટે 25 સ્ટેટ રિઝર્વ પોલીસ ટીમો સહિત 3,000 થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે. જે સુરક્ષા જાળવવાની સાથે ડિમોલિશનના કામમાં કોઈ નડતરૂપ ન બને તે સુનિશ્ચિત કરવાનું રહેશે. 

ડિમોલિશન અંગે શહેર પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા પોલીસ અધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે વિશેષ બેઠક કરવામાં આવી હતી,અને ડિમોલિશન અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.

Advertisment
Latest Stories