અમદાવાદ : અમરાઈવાડીમાં AMTS બસની ટક્કરે મહિલાનું મોત, રોષે ભરાયેલા લોકોએ બસ પર કર્યો પથ્થરમારો

Update: 2020-10-24 06:23 GMT

અમદાવાદ શહેરના અમરાઈવાડી મેટ્રો રેલ પોજેકટ નજીક ન્યુ કોટન ચાર રસ્તા પર AMTSની બસે એક અજાણી મહિલાને અડફેટે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. ઘટના બાદ લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસને જાણ થતા પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટના બાદ ડ્રાઈવર અને કન્ડક્ટર પોલીસ મથકે પહોંચી સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ AMTS બસ પર પથ્થરમારો કર્યો હતો.

સમગ્ર ઘટના અંગે AMTS બસના ડ્રાઈવરે પોલીસને જણાવ્યું હતું કે, જ્યારે બસ લાલ દરવાજા તરફ જઈ રહી હતી, ત્યારે એક સિનિયર સિટીઝન મહિલા અચાનક આજુબાજુ જોયા વગર રોડ ક્રોસ કરી રહી હતી. જે જોઈ બસને બ્રેક મારવામાં આવી હતી. પરંતુ કમનશીબે મહિલા બસના આગળના ટાયર નીચે આવી જતા મહિલાનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ બસમાં સવાર અન્ય મુસાફરો પણ ઉતરી ભાગદોડ કરવા લાગ્યા હતા. જોકે આ પ્રથમ બનાવ નથી કે, AMTS બસની ટક્કરે કોઈનું મોત થયું હોય. અગાઉ પણ અનેક એવા બનાવો બની ચુક્યા છે, જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

Tags:    

Similar News