વીર શહીદ આર્મી જવાન રજનીશ પટણીને વિદાય, ગાર્ડ ઓફ ઓનર આપી શહીદને અપાઇ શ્રંદ્વાજલિ
અમદાવાદના સપૂત રજનીશ પટણી શહીદ થયા છે. તેમનું મેરઠની આર્મી છાવણીમાં ફરજ બજાવતા દરમિયાન આકસ્મિક નિધન થયું હતું. આજ રોજ અમદાવાદ ખાતે શહીદ વીર રજનીશ પટણીનો પાર્થિવ દેહ એરપોર્ટ લવાયો અને ગાર્ડ ઓફ ઓનર આપી શહીદને અપાઈ શ્રંદ્વાજલિ અને ત્યાર બાદ શહીદ રજનીશ પટણીનો પાર્થિવ દેહને અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં તેમના નિવાસ સ્થાને લઈ જવાયો . તેમના આકસ્મિક મોતને પગલે શહેરના અમરાઇવાડી વિસ્તારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.