અમદાવાદ : લોકલ ફોર વોકલનો સંકલ્પ, માનસિક રોગના દર્દીઓએ તૈયાર કર્યા 30 હજાર દીવડા

Update: 2020-10-22 07:59 GMT

અમદાવાદમાં આવેલ માનસિક રોગની હોસ્પિટલના દર્દીઓ કોરોના મહામારીમાં સર્વત્ર પથરાયેલ અંધકારમાંથી અજવાળા તરફ લઇ જવા હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફ દ્વારા દિવાળી માટે ૩૦ હજાર દિવળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

“મળી છે ઘણી માનસિક વ્યથાઓ છતા પણ ન અમે અંધકાર પાથરીએ…અધરા છે સવાલ અંધકારના..જવાબમાં અમે તો અજવાશ પાથરીએ..” ઉક્ત પંક્તિઓને ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે. અમદાવાદમાં આવેલ માનસિક રોગની હોસ્પિટલના દર્દીઓ. કોરોના મહામારીમાં સર્વત્ર પથરાયેલ અંધકારમાંથી અજવાળા તરફ લઇ જવા હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફ દ્વારા દિવાળી માટે ૩૦ હજાર દિવળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

આ દીવડાઓ તૈયાર કરતા માનસિક રોગના દર્દી સતિષની કહાની દિલચસ્પ છે. અમદાવાદના અમરાઇવાડી વિસ્તારના ૨૩ વર્ષીય સતીષને ૨૦૧૬માં મગજની તકલીફ ઉભી થઇ.તેઓને અવનવા અવાજો સંભાળવવા લાગ્યા તેની સાથે તેમને જમવાનું ભાવે નહીં પીવાનું ગમે નહીં ચાલવાની ઇચ્છા થાય નહીં ઉંધ આવે નહીં. માનસિક રીતે સતત તણાવગ્રસ્ત રહેતા, કોઇપણ જાતના કામમાં મન લાગતું નહીં. પરિસ્થિતી વણસતા પરિવારજનો અમદાવાદ ખાતે આવેલી માનસિક રોગની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ આવ્યા. માનસિક રોગની હોસ્પિટલમાં ૨ વર્ષ તેમની સારવાર ચાલી. સતત ૨ વર્ષ ચાલેલી સારવારના કારણે સતિષની વર્તણૂક સામાન્ય બનવા લાગી. તે માનસિક સ્વસ્થ થવા લાગ્યો. આજે સમય એવો આવ્યો છે કે સતિષ માનસિક રોગમાંથી બહાર આવી મહદઅંશે સાજો થઇ કવિ / લેખક બન્યો છે.

માનસિક રીતે સ્વસ્થ થતા તેણે હોસ્પિટલના તબીબોને રોજગારી અર્થે પૂછ્યુ. મેન્ટલ હોસ્પિટલના ઓક્યુપેશનલ વિભાગના વર્કશોપમાં તેને રોજગારી પણ મળી. છેલ્લા ૧ વર્ષથી આ વિભાગમાં સતીષ ડે કેર તરીકેના કર્મચારી બની વિવિધ પ્રવૃતિઓમાં પોતાનું યોગદાન આપે છે. દિવસમાં ૭ થી ૮ કલાક અથાગ મહેનત કરીને રોજગારી રળે છે. આ વિભાગમાં સતિષે બોકસ, ફાઇલ, પગલુછણિયા, શેતરંજી, રૂમાલ બનાવવા જેવા વિવિધ કામ શિખ્યા. વિવિધ તહેવાર આવે ત્યારે દિવળા બનાવીને રંગરોગાન કરીને તેમા રુચિ વધવા લાગી. જેથી ખંતપૂર્વક કામ કરતા નિયમિત મહેનતાણુ પણ મળવા લાગ્યુ જેથી તેમના પરિવારમાં સતિષની મહેનત મદદરૂપ બની.

માનસિક આરોગ્યની હોસ્પિટલના ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વિભાગના ડૉ. સુનિતા મહેરિયા કહે છે કે “અમારે ત્યાં દર્દી માનસિક અસ્થિરતા સાથે આવે છે. તેની સારવાર કર્યા બાદ તે કામ કરવા યોગ્ય થવા લાગે, મગજથી સ્થિર થતો જણાય ત્યારે તેને ઓક્યુપેશનલ વિભાગમાં તેમની કુશળતા મુજબ વિવિધ કામ આપવામાં આવે છે. જે કારણોસર કંઇક પ્રવૃતિઓ કરીને તેઓ આત્મનિર્ભર બની શકે એમ તેઓ ઉમેરે છે. નરેન્દ્રભાઇ મોદી દ્વારા વોકલ ફોર લોકલની નેમ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આપણે આપણા દેશમાં શહેરમાં બનેલી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરતા થઇએ . વિદેશી આયાતો પર નિર્ભર ન રહેવાનો ઉદ્દેશ છે. જેને ધ્યાનમાં રાખીને જ આ વર્ષની દિવાળીની ઉજવણી માટે આ હોસ્પિટલ દ્વારા વિવિધ ડિઝાઇનથી શણગારેલા આકર્ષક અને નયનરમ્ય ૩૦ હજાર જેટલા દિવળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સારવાર લઇ રહેલા દર્દીઓ અને સ્ટાફ મિત્રો , સ્વયંસેવકો દ્વારા લોકલ ફોર વોકલના અભિયાનને આગળ ધપાવવા દિવળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે.

કોરોનાની પરિસ્થિતીઓમાં પ્રસરી રહેલા અંધકારમાથી અજવાળાની કિરણો જાગે તે હેતુસર હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફ દ્વારા દિવળાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. સમાજમાં સહકાર અને સ્વીકાર બંને વસ્તુઓ મળી રહે તે હેતુથી અહીના દર્દીઓ દ્વારા દિવળાઓ તૈયાર કરાવવામાં આવી રહ્યા છે. ઘણી સેવાભાવી સંસ્થાઓ , ખાનગી કંપની દ્વારા આ હોસ્પિટલને દિવળાઓના ઓર્ડર મળ્યા છે.આ રીતે આ હોસ્પિટલ દ્વારા આત્મનિર્ભરતા સાથે લોકલ ફોર વોકલ ના મંત્રને ચરિત્રાર્થ કરવામાં આવી રહ્યો છે.

Tags:    

Similar News