અમદાવાદમાં રથયાત્રા પહેલા જર્જરિત 400 મકાનોને AMCની નોટિસ,જાણો વધુ..!

ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભક્તો પણ ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે

Update: 2022-06-06 10:43 GMT

કોરોના કાળના બે વર્ષ બાદ ભગવાન જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભક્તો પણ ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે કોરોનાની મહામારીમાં એક વર્ષ રથયાત્રા નીકળી ન હતી અને એક વર્ષ રથયાત્રા નીકળી તો ભક્તો સાથે જોડાઇ શક્યા ન હતા, પરંતુ ચાલુ વર્ષે કોરોના કંટ્રોલમાં છે. જેથી અમદાવાદમાં રથયાત્રા ધામધૂમથી નીકળે તેની તૈયારી ચાલી રહી છે.

મંદિર અને તંત્ર તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંદિર સંચાલકો વિધિ અને ભગવાનના શણગારની તૈયારી કરી રહ્યા છે. ત્યારે રથયાત્રાના રૂટ પરની સલામતીના ભાગ રૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જર્જરિત મકાનજર્જરિત મકાનઅથવા છત હોય તો તેને ઉતારી લેવા અથવા સમારકામ કરાવી લેવા નોટિસ આપી છે. મધ્ય ઝોનમાં 283 જર્જરિત મકાનો ને નોટિસ આપવામાં આવી છે તો ઉત્તર ઝોનમાં 142 જર્જરિત મકાનો ને નોટિસ આપવામાં આવી છે.મંદિર સંચાલકો વિધિ અને ભગવાનના શણગારની તૈયારી કરી રહ્યા છે.

ત્યારે રથયાત્રાના રૂટ પરની સલામતીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જર્જરિત મકાન અથવા છત હોય તો તેને ઉતારી લેવા અથવા સમારકામ કરાવી લેવા નોટિસ આપી છે. મધ્ય ઝોન અને ઉત્તર ઝોનમાં રથયાત્રાના રૂટ પર આવતા અને જર્જરિત મકાન રીપેર માટે નોટિસ લગાવવામાં આવી છે. નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે જો કોઈ નોટિસનો અનાદર કરવાથી કોઈ પણ અકસ્માત કે બનાવ બનશે તો તેની જવાબદારી માલિક કબ્જેદાર તેમજ હિત સંબંધ ધરાવતાની રહેશે.

Tags:    

Similar News