આણંદ : સોજીત્રા હાઈવે પર હરિ ભરવાડ પર બે રાઉન્ડ ગોળીબાર થયો

Update: 2020-01-20 16:53 GMT

આણંદ સોજીત્રા હાઇવે પર આવેલ જનતા ચોકડી પાસે મુખ્ય માર્ગ પર આવેલ અર્થઆઈ કોમ્પલેક્ષ પાસે સાંજના સુમારે ફાયરિંગની ઘટના બનવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આજે મોડી સાંજના સુમારે બનેલ

ફાયરિંગની ઘટનામાં અંદાજીત 4 શખ્સો દ્વારા

2 રાઉન્ડ ફાયરિંગ કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. જેમાં હરિભરવાડ પર ગોળીબાર

કરવામાં આવ્યો હતો. જેમાં એક ગોળી ડાબી બાજુ કમરના ભાગે વાગી હતી તો બીજી ગોળી તેમના

પગના પંજામાં વાગી હતી. આ

જીવલેણ હુમલાથી ઇજાગ્રસ્ત

થયેલા હરિભરવાડને સારવાર અર્થે કરમસદ ખાતે આવેલ શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ હરિભરવાડને સારવાર આપવામાં આવી

રહી છે.

આણંદ જાણે કે ગુનેગારોનો ગઢ બની ગયો હોય તેમ લાગી રહ્યું છે.

આ ઘટનાથી સ્થાનિક પોલીસની કારશેલીપર અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. પોલીસનો ડર

ક્યાંકને ક્યાંક ગુનેગારોમાં નહિવત બરાબર જોવા મળી રહ્યો છે. જોકે હરિ ભરવાડ પણ

જમીનો પર ગેરકાયદેર કબ્જા કરવા માટે પ્રખ્યાત

જ છે અને ઘટનામાં પણ જમીનને લગતા વિવાદથી જ ગોળીબારની ઘટના બનવા પામી હોઈ તેમ

પ્રાથમિક તબક્કે

લાગી રહ્યું છે હવે જોવું રહ્યું કે સ્થાનિક પોલીસ આ ઘટનાનો ભેદ કેટલાક સમયમાં ઉકેલે છે હાલ ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Tags:    

Similar News