અંકલેશ્વર : બાકરોલ નજીકથી 3 બાઇકની થઈ ઉઠાંતરી, તાલુકા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

Update: 2020-11-04 07:33 GMT

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ નજીક આવેલ રામનગરમાં પાર્ક કરેલ 3 જેટલી બાઇકની અજાણ્યા ઇસમો દ્વારા ઉઠાંતરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

મળતી માહિતી અનુસાર, મૂળ અરવલ્લી જિલ્લાના બાયડ અને હાલ અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ નજીક આવેલ રામનગરમાં ભાડાના મકાનમાં રહેતા ભરત પરમાર યુનિક ફાર્મા કંપનીમાં નોકરી કરે છે, ત્યારે ગત તા. 2જી નવેમ્બરના રોજ ભરત પરમારે ઘરના આંગણા પોતાની બાઇક નં. GJ-31-L-3912 પાર્ક કરી હતી. તે દરમ્યાન વાહન ચોરી કરતી ટોળકી ત્રાટકી તેઓની 45 હજારની બાઈકની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી.

તો આ જ પ્રમાણે સોસાયટીમાંથી અન્ય 2 બાઇક મળી કુલ 3 બાઈકની ચોરી કરી અજાણ્યા વાહન ચોરો ફરાર થઈ ગયા હતા. જેમાં 3 બાઇક મળી કુલ રૂપિયા 1.20 લાખના મુદ્દામાલની ચોરી અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે, હાલ પોલીસે બાઇક ચોરી અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News