અંકલેશ્વર : પરિક્રમાવાસી બીડી પી રહયો હતો, તેની સાથે જે બન્યું તે જોઇ ચોંકી જશો

Update: 2020-02-21 08:14 GMT

બીડી અને સિગરેટના કારણે આગ લાગવાના બનાવો વિશે તમે સાંભળ્યું હશે પણ અમે તમને બતાવી રહયાં છે અંકલેશ્વર રેલવે સ્ટેશનની બહાર બનેલી વિચિત્ર ઘટના.જુઓ શું બની હતી ઘટના.

બીડી અને સિગરેટના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો અંકલેશ્વરમાં બન્યો છે. નર્મદા મૈયાની પરિક્રમા માટે નીકળેલા 55 વર્ષીય ઢોંધુ મુરલીધર સોનારા અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યાં હતાં. શિવરાત્રીના દીવસે સવારે તેઓ અંકલેશ્વર રેલવે સ્ટેશનની બહાર બીડી પી રહયાં હતાં. તે દરમિયાન બીડીના કારણે તેમના કપડામાં અચાનક આગ લાગી હતી જેમાં તેઓ ગંભીર રીતે દાઝી ગયાં હતાં. તેમને 108ની મદદથી સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

Similar News