અંકલેશ્વર : વૈદેહી મિથિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિર યોજાય, રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું

આગેવાનો સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Update: 2024-05-05 12:46 GMT

આજની યુવા પેઢી રક્તનું મૂલ્ય સમજે અને રક્તદાન કરતાં થાય તે માટે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના રાજપીપળા રોડ પર આવેલ સોનમ સોસાયટી ખાતે વૈદેહી મિથિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વૈદેહી મિથિલા ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો અને કાર્યકરોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.

આ પ્રસંગે વૈદેહી મિથિલા ચેરીટેબલ ટ્રસ્ટ સભ્યો, આગેવાનો સહિત મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News