અરવલ્લી : શામળાજીમાં 45 વર્ષીય મહિલાનો વાવ જોતી વેળા લપસ્યો પગ, પછી જે થયું તે એકદમ કમનસીબ

Update: 2021-01-08 10:58 GMT

અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે સર્જાયેલી કરૂણાંતિકાનો વિડીયો સામે આવ્યો છે. ભરૂચની રહેવાસી 45 વર્ષીય મહીલાનો વાવના પગથિયા પરથી પગ લપસી જતાં તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલી મહિલાનું મોત થતાં પરિવારજનો પણ આવાક રહી ગયાં છે.

જીવન અને મૃત્ય નસીબ પર આધાર રાખતાં હોવાનું સૌ કોઇ માને છે ત્યારે આ વાકયને ચરિતાર્થ કરતી ઘટના અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે બની હતી. બનાવની પ્રાપ્ત ઘટના સ્થળની વિગતો અનુસાર ભરૂચના ૪૫ વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ રાંદેરિયા પરિવાર સાથે શામળીયાના દર્શન માટે આવ્યાં હતાં.

મંદિરમાં દર્શન કર્યા બાદ શિલ્પાબેન પરિસરમાં આવેલી વાવ પાસે ફોટો પડાવવા ગયાં હતાં. ફોટા માટે પોઝ આપતી વેળા તેમનો પગ લપસી જતાં તેઓ પગથિયા પર પટકાયાં હતાં. માથામાં થયેલી ગંભીર ઇજાના પગલે તેમનું મોત થયું ગયું હતું. ક્ષણભરમાં બનેલી ઘટનાના પગલે પરિવારના સભ્યો પણ આવાક રહી ગયાં હતાં. બનાવની જાણ થતાં શામળાજી પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Tags:    

Similar News