બનાસકાંઠા : મહાશિવરાત્રીના દિવસે માઠા સમાચાર, લકઝરી બસને નડ્યો અકસ્માત, 2 વર્ષના બાળકનું મોત, 7 ઘાયલ

Update: 2021-03-11 05:11 GMT

બનાસકાંઠામાં ગોઝારો અકસ્માત થયો છે જેમાં 2 વર્ષના બાળકનું મોત થયું છે અને 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. લકઝરી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો.

બનાસકાંઠામાં કાંકરેજ શિહોરી હાઇવે પર લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. અંબાજી પાટિયા પાસે લક્ઝરી બસ પલટી ખાધી હતી. દુર્ઘટનામાં 2 વર્ષના બાળકનું મૃત્યુ થયુ છે. જ્યારે 7 જેટલા ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અંબાજી પાટિયા પાસે કાંકરેજ-શિહોરી હાઈવે ઉપર લકઝરી બસ પલટી : 2 વર્ષના બાળકનું મૃત્યુ, 7 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

Tags:    

Similar News