ભરૂચ જંબુસર ચોકડી પરના બિસ્માર માર્ગોને મુદ્દે સ્થાનિકોએનો રસ્તા રોકો આંદોલન

Update: 2019-07-31 11:34 GMT

ભરૂચની જંબુસર ચોકડી પર બિસ્માર માર્ગના પ્રશ્ને ફરી એકવાર સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરી નગર પાલિકા કચેરીએ હલ્લો મચાવ્યો હતો.

ભરૂચની જંબુસર ચોકડી પર માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર બન્યો છે. જેના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. આ અંગે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કર્યા બાદ પણ સમસ્યાનું કોઈ જ નિરાકરણ ન આવતા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. સ્થાનિકો માર્ગ પર ઉતરી આવ્યા હતા અને રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ સ્થાનિકોએ નગર પાલિકા કચેરી ખાતે પણ હલ્લો મચાવ્યો હતો અને ચીફ ઓફિસર સંજય સોનીને ઉગ્ર રજૂઆત કરી હતી. ચીફ ઓફિસરે પ્રશ્નના નિરાકરણની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

Tags:    

Similar News