ભરૂચ : અંકલેશ્વરના પીરામણમાં ભાવવિભોર દ્રશ્યો, મરહુમ સાંસદ અહમદ પટેલને અપાઇ શ્રધ્ધાંજલિ

Update: 2020-11-30 09:49 GMT

અંકલેશ્વર તાલુકાના પીરામણ ગામના વતની મરહુમ સાંસદ અહમદ પટેલના નિધન બાદ નેતાઓ અને સમર્થકો તેમને શ્રધ્ધાંજલિ આપવા નેતાઓ અને સમર્થકો આવી રહયાં છે…

અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહયો છે. ભરૂચ જીલ્લાના પનોતા પુત્ર અને પિરામણ ગામના વતની અહમદ પટેલ સદેહ આપણી વચ્ચે રહયાં નથી પણ તેમણે કરેલા કાર્યોની સુવાસ ચારે તરફ ફેલાય રહી છે. સોમવારના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા સહિતના નેતાઓ અને સમર્થકો પીરામણ ગામે પહોંચ્યાં હતાં. જયાં તેમણે મરહુમ સાંસદ અહમદ પટેલના પુત્ર ફૈઝલને મળીને સાંત્વના પાઠવી હતી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ મરહુમ સાંસદ અહમદ પટેલના નેતૃત્વ અને તેમની કુનેહના ભારોભાર વખાણ કર્યા હતાં.

Tags:    

Similar News