માનવભક્ષી દીપડાએ ભરૂચ ઝઘડિયાના વણખુટા ગામે 9 વર્ષના બાળકને ફાડી ખાધો

Update: 2023-09-03 07:23 GMT

નેત્રંગ તાલુકાના વણખુટા ગામે કુદરતી હાજર માટે ગયેલ નવ વર્ષના બાળકને કોઈ વન્યપ્રાણી ખેંચી જતા તેની લાશ મળી આવી હતી સ્થાનિક લોકો તેમજ વન વિભાગ દ્વારા જાણવા મળતી માહિતી મુજબ આ બાળક પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની માહિતી મળી હતી, વણખુટા ગામનો સેલૈયા કુમાર નામનો નવવર્ષય બાળક સાંજના સમયે કુદરતી હાજરી માટે ઘરથી થોડી દૂર ગયો હતો ત્યારબાદ તેના પર દીપદા દ્વારા હુમલો કરવામાં આવતા તેની લાશ એક કિલોમીટર દૂરથી વિકૃત હાલતમાં મળી હતી, ગ્રામજનો દ્વારા નેત્રંગ પોલીસ મથકે જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આ બાળકના મૃતદેહને નેત્રંગ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યું હતું. ઝઘડિયા વન વિભાગ દ્વારા બનાવ સ્થળ પર તાત્કાલિક મારણ સાથે પીંજરું મૂકવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી

Tags:    

Similar News