ભરૂચ: અંકલેશ્વરમાં રહેતા રાજસ્થાની યુવાનની હત્યા, ગળે ટૂંપો આપી મૃતદેહ નબીપુર નજીક વૃક્ષ પર લટકાવી દેવાયો

Update: 2021-08-18 06:34 GMT

અંકલેશ્વર ખાતે રહેતા એક રાજસ્થાની યુવાનને ગળેફાંસો આપી હત્યા કર્યા બાદ તેના મૃતદેહને નબીપુર નજીક ઝંગાર ગામ પાસે એક વૃક્ષ પર લટકાવી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલી સૌરાષ્ટ્ર ડાયઝ કંપનીમાં નોકરી કરતો અને મૂળ રાજસ્થાનના ડુંગરપુરનો વતની લાડુરામ તાબીયાડનો નાનો ભાઈ મનસુખ એશિયનપેન્ટ ચોકડી પાસે આવેલી એડવાન્સ ડાઈટકેમ કંપનીમાં કામ કરી ત્યાં જ રહેતો હતો તેની પત્ની સાથે તેને અણબનાવ હોય તે તેના વતન રહેતી હતી દરમિયાન ગત રવિવારે ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઝંઘાર ગામ પાસે આવેલી ખાનગી હોટલ નજીક એક વૃક્ષ પરથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી પેનલ પોસ્ટ મોર્ટમ કરાવતા યુવાનની હત્યા કર્યા બાદ હત્યાને આપઘાતમાં ખપાવવા આરોપીઓએ તેનો મૃતદેહ વૃક્ષ પર લટકાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ મામલામાં હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

Tags:    

Similar News