અંકલેશ્વર: નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ તરીકે નિલેશ પટેલે ચાર્જ સંભાળ્યો

અંકલેશ્વર નગર પાલિકામાં વિવિધ સમિતિના અધ્યક્ષોની વરણી બાદ આજરોજ કારોબારી ચેરમેન નિલેષ પટેલએ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો

Update: 2023-11-02 10:32 GMT

અંકલેશ્વર નગર પાલિકામાં વિવિધ સમિતિના અધ્યક્ષોની વરણી બાદ આજરોજ કારોબારી ચેરમેન નિલેષ પટેલએ વિધિવત ચાર્જ સંભાળ્યો હતો

ગત તારીખ-30મી ઓકટોબરના રોજ અંકલેશ્વર નગર પાલિકા સભા ખંડમા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતની અધ્યક્ષતામાં ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ 10 સમિતિઓના અધ્યક્ષ અને સભ્યોની વરણી કરાઈ હતી.જેમાં કારોબારી કમિટીના ચેરમેન નિલેષ પટેલ પણ વરણી કરવામાં આવી હતી ત્યારે આજરોજ કારોબારી ચેરમેન નિલેષ પટેલએ પોતાની ઓફિસનું રિબિંન કટિંગ કરવા સાથે વિધિવત પુજા કરી ચાર્જ સંભાળ્યો હતો.અને ભાજપ પક્ષ તેમજ ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલનો આભાર વ્યક્ત કરી પ્રજાની સુખાકારી માટેના કામો કરવાની ખાતરી આપી હતી

Tags:    

Similar News