ભરૂચ : ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં રાજપારડી ખાતે યોજાય AAPની સંકલન બેઠક..!

તાલુકાના રાજપારડી ખાતે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સંકલન બેઠક યોજાય હતી.

Update: 2024-02-08 12:33 GMT

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સંકલન બેઠક યોજાય હતી.

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી સ્થિત હોટલ આશીર્વાદ ખાતે આમ આદમી પાર્ટીની સંકલન બેઠકનું આયોજન નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં કરાયું હતું. જેમાં સંગઠનને કેવી રીતે વધુ મજબૂત કરવું તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓ વિષે ચર્ચા કરવામાં આવી હતી. આગામી ભરૂચ લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઝઘડીયા, વાલિયા તેમજ નેત્રંગ તાલુકાના કાર્યકર્તાઓએ ગામે ગામ જઈ વધુમાં વધુ આમ આદમી પાર્ટીને મત આપવા માટે મહેનત કરવા ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં સામે કોઈપણ ઉમેદવાર હોય પરંતુ ચૈતર વસાવાની જ જીત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કાર્યક્રમ દરમિયાન ભાજપ સરકાર પર નિશાન સાધવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આપ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા, પ્રદેશ મંત્રી જયરાજસિંહ રાજ, જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News