ભરૂચ : વોર્ડ નંબર 4 ખાતે અમૃત કળશ યાત્રાનું જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું...

રાષ્ટ્રીય એકતા અને અખંડીતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા “મારી માટી, મારો દેશ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે

Update: 2023-10-10 06:36 GMT

“મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રાનું ભરૂચના વોર્ડ નંબર 4 ખાતે આગમન થતાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય એકતા અને અખંડીતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા “મારી માટી, મારો દેશ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે આયોજિત અમૃત કળશ યાત્રાનું ભરૂચના વોર્ડ નંબર 4 ખાતે આગમન થતાં ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારે આ કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી , સાંસદ મનસુખ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ઉપપ્રમુખ દિવ્યેશ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, શહેર ભાજપ પ્રમુખ પ્રકાશ પટેલ, મહામંત્રી દીપક મિસ્ત્રી, જતિન શાહની ઉપસ્થિતિમાં "અમૃત કળશ યાત્રા" કાઢી નાગરિકો પાસેથી માટી સ્વીકારી હતી. જેમાં ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ, અન્ય આગેવાનો, યુવા મોરચાના કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News