ભરૂચ : ઇસ્કોન મંદિર-GIDC દ્વારા યોજાશે ભવ્ય રથયાત્રા મહોત્સવ, દર્શન-પ્રસાદનો લાભ લેવા ધર્મપ્રેમી જનતાને આમંત્રણ...

જીઆઇડીસીમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજી રથયાત્રા ઉત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે

Update: 2023-06-18 10:12 GMT

ભરૂચ શહેરના જીઆઇડીસીમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજી રથયાત્રા ઉત્સવનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે રથયાત્રાની ઉજવણી નિમિત્તે પત્રકાર પરિષદ યોજાય હતી.

ભરૂચમાં અષાઢી બીજના દિવસે દિવ્ય અને ભવ્ય ઉત્સવ ભગવાન જગન્નાથજી રથયાત્રાની ઉજવણી નિમિત્તે ભરૂચ જિલ્લાના સર્વ ધર્મપ્રેમી નગરવાસીઓ ઉપસ્થિત રહેવા ભરૂચ શહેરના જીઆઇડીસીમાં આવેલા ઇસ્કોન મંદિર દ્વારા આમંત્રણ પાઠવામાં આવ્યું છે. આ પ્રસંગે રથ પર બિરાજમાન ભગવાન જગન્નાથની મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના દર્શન, કીર્તન, ભજન અને પ્રસાદનો લોકોને લાભ લેવા ઇસ્કોન મંદિરના ચૈતન્ય મહાપ્રભુ દાસ દ્વારા આમંત્ર પાઠવાયું છે.

Tags:    

Similar News