ભરૂચ : મહાશિવરાત્રી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી, ઠેર ઠેર શિવાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા...
ભરૂચ શહેર તથા જિલ્લામાં મહાશિવરાત્રી પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચના કસક, દાંડિયાબજાર, આચારજી બેઠક, દશાશ્વમેઘ ઘાટ તેમજ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું.