ભરૂચની ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ, વિલાયતને પર્યાવરણ ક્ષેત્રે મીયાવાકી પધ્ધતિ દ્વારા 34000 વૃક્ષો અને પરંપરાગત પધ્ધતિ દ્વારા 30000 વૃક્ષોના વાવેતર અને ત્રણ વર્ષના જતનની નૈતિક જવાબદારી નિભાવવાના અમૂલ્ય યોગદાન આપવા બદલ ગુજરાત સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ફોરેસ્ટ ક્રિએટર દ્વારા CSR મીયાવાકી એવોર્ડ ભુજ ખાતે સ્મૃતિવન મેમોરિયલમાં ભવ્ય કાર્યક્રમ આયોજિત કરી ભુજ કલેક્ટર અમિત અરોરા, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ વિલાયતના CSR વિભાગ દ્વારા કંપનીના યુનિટ હેડ આશિષ ગર્ગ અને HR હેડ કર્ણ મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ CSR વિભાગના વડા હેમરાજ પટેલ અને ટીમ મેમ્બર તૃપ્તિ પટેલ દ્વારા પ્રોજેક્ટનું અસરકારક રીતે અમલીકરણ કરી પ્રોજેક્ટને સફળ બનાવવામાં આવ્યો હતો