ભરૂચ : હાર્ટ એટેકના વધતાં કેસને ધ્યાનમાં રાખી પટેલ ભૃગુપુર સોસાયટીના ગરબા આયોજકોની પહેલ...

ભરૂચની પટેલ ભૃગુપુર સોસાયટીના ગરબા આયોજકો દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

Update: 2023-10-08 09:20 GMT

ભરૂચની પટેલ ભૃગુપુર સોસાયટીના ગરબા આયોજકો દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાર્ટ એટેકના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ વર્ષે ગરબા ગ્રાઉન્ડ ખાતે તબીબો તેમજ એમ્બ્યુલન્સને તૈનાત રાખવામાં આવનાર છે. આ સાથે જ ખેલૈયાઓને પણ પોતાના આરોગ્યની તબીબી તપાસ અગાઉથી કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.

આગામી તા. 15 ઓક્ટોબરથી શારદીય નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ખેલૈયાઓમાં 9 દિવસની નવરાત્રીમાં ગરબા રમવા માટે ખૂબ થનગનાટ જોવા મળ્યો છે. ખેલૈયાઓએ નવરાત્રીની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દીધી છે. આ સાથે જ ગરબા આયોજકો દ્વારા પણ તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ભરૂચની પટેલ ભૃગુપુર સોસાયટીના ગરબા આયોજકો દ્વારા છેલ્લા 50 વર્ષથી નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે પટેલ ભૃગુપુર સોસાયટી ખાતે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ખૂબ ઉત્સાહ સાથે ગરબે ઘુમે છે. તો બીજી તરફ, છેલ્લા કેટલાક મહિનાઓમાં યુવાનોમાં હાર્ટ એટેકના બનાવમાં વધારો જોવા મળતા પટેલ ભૃગુપુર સોસાયટીના ગરબા આયોજકો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને યુવાઓમાં સ્ટ્રેસના કારણે અથવા તો ડિહાઈડ્રેશનના કારણે હાર્ટ એટેક આવવાનું તારણ સામે આવી રહ્યું છે, ત્યારે આ વર્ષે પટેલ ભૃગુપુર સોસાયટીના ગરબા ગ્રાઉન્ડ ખાતે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવનાર છે. ગરબા ગ્રાઉન્ડ ખાતે તબીબો તેમજ એમ્બ્યુલન્સ સાથે પેરા મેડિકલ ટીમને તૈનાત રાખવામાં આવશે. ગરબા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિશેષ સુવિધા ઉભી કરવામાં આવનાર છે. આ સાથે જ પટેલ ભૃગુપુર સોસાયટીના ગરબા આયોજકો દ્વારા નવયુવા એવા ખેલૈયાઓને પણ પોતાના આરોગ્યની તબીબી તપાસ અગાઉથી કરાવી લેવા અપીલ કરવામાં આવી છે.

Tags:    

Similar News