ભરૂચ: અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે શ્રદ્ધાંજલિના ભાગરૂપે લોકડાયરાનું આયોજન

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે શ્રદ્ધાંજલિ ના ભાગરૂપે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું

Update: 2021-10-05 10:46 GMT

અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે શ્રદ્ધાંજલિ ના ભાગરૂપે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ પૂર્વે વર્ષ 2019માં જી.એચ.બી ગ્રૂપ બે યુવાનોનું નિધન થયું હતું જેઓને શ્રધ્ધાંજલિ આપવાના હેતુથી ગતરોજ લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. લોકડાયરામાં અંકલેશ્વરના જાણીતા કલાકાર સૂરદાસ અને તેમના વૃંદે ભજન તેમજ લોકગીતોની રમઝટ બોલાવી હતી. સદર કાર્યક્રમમાં નગર સેવક અને જિલ્લા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ તથા સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અને મૃતક યુવાનોને સંગીતમય શ્રધ્ધાજલી પાઠવી હતી

Tags:    

Similar News