ભરૂચ: MLA ડી.કે.સ્વામીએ જંબુસરના ડોલીયા દેણવા બ્રિજની કામગીરીનું કર્યું નિરિક્ષણ, જુઓ શું આપી સૂચના

જંબુસર ડોલીયા દેણવા બ્રિજનું કામ મંદગતિએ ચાલતુ હોવાની ફરિયાદ બાદ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ કામગીરીનું નિરિક્ષણ કરી કામ વહેલી તકે પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા

Update: 2023-05-22 12:23 GMT

ભરૂચના જંબુસર ડોલીયા દેણવા બ્રિજનું કામ મંદગતિએ ચાલતુ હોવાની ફરિયાદ બાદ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ કામગીરીનું નિરિક્ષણ કરી કામ વહેલી તકે પૂર્ણ કરવા આદેશ આપ્યા હતા

ભરૂચના જંબુસરથી દહેજ વાગરા તરફ જવાના માર્ગ પર જનતા સહેલાઈથી પહોંચી શકે અને સમય ઓછો બગડે તે માટે ડોલીયા-દેણવાનો બ્રિજ બનાવવાનું કાર્ય છેલ્લા આપાંચ વર્ષ જેટલા સમયથી ચાલુ છે જો કે કામગીરી મંદગતિએ ચાલતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. બ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ ણ થતાં લોકોના સમયનો વેડફાટ થઈ રહયો છે. આ અંગેની રજૂઆતો બાદ જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીએ આજરોજ બ્રિજની કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી

Tags:    

Similar News