ભરૂચ: સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા 19મો સમૂહ લગ્નોત્સવ યોજાયો,13 યુગલોએ પ્રભુતામાં માંડયા ડગ

છેલ્લા 18 વર્ષથી સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ અને માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે.

Update: 2024-04-21 12:44 GMT

ભરૂચના નવેઠા ગામ ખાતે કરાયું આયોજન

સમુહલગ્નોત્સવ યોજાયો

સમસ્ત વણકર સમાજ દ્વારા સમૂહલગ્નોત્સવનું આયોજન

13 યુગલોએ પ્રભુતામાં માંડયા ડગ

ધારાસભ્ય અરૂણસિંહ રણા રહ્યા ઉપસ્થિત

ભરૂચના નવેઠા ખાતે સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ અને માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા 19મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં સમાજના કુલ 13 નવ યુગલોએ પર પ્રભુતામાં ડગ માંડ્યા હતા ભરૂચ જિલ્લામાં કાર્યરત સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ અને માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વારા અનેક સેવાકીય કાર્યો કરીને સમાજના લોકોના ઉત્થાન અનેક કાર્યો કરવામાં આવે છે. ત્યારે છેલ્લા 18 વર્ષથી સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ અને માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે.

જેના ભાગરૂપે આજ રોજ 21 મી એપ્રિલના રોજ નવેઠા ગામ ખાતે 19માં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું.જેમાં સમાજના કુલ 13 નવયુગલોએ શાસ્ત્રોક વિધિ પ્રમાણે પ્રભુતામાં પગલા પાડ્યા હતા.આ સમૂહ લગ્નોત્સવમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા,ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા,ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર અને માં મણિબા સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટના ધનજી પરમાર, કનુ પરમાર,સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટના પ્રમુખ કાંતિ પરમાર સહીત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Tags:    

Similar News