ભરૂચ : ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દાદાને 25 હજારથી વધુ ચોકલેટનો ભવ્ય શણગાર કરાયો...

વોર્ડ નંબર 7માં આવેલ ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે કષ્ટભંજન દાદાને ચોકલેટનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

Update: 2023-09-02 11:37 GMT

ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં આવેલ ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે કષ્ટભંજન દાદાને ચોકલેટનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

ભરૂચ શહેરના વોર્ડ નંબર 7માં આવેલ ખત્રીવાડ સ્થિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર તેમજ સૂર્ય મંદિરે પવિત્ર શ્રાવણ માસના પ્રતિ મંગળવાર અને શનિવારે વિવિધ ચીજ-વસ્તુઓનો શણગાર કરવામાં આવે છે, ત્યારે આજરોજ શ્રાવણ માસનો બીજો શનિવાર હોવાથી કષ્ટભંજન દાદાને 25 હજારથી વધુ ચોકલેટનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. હનુમાન ભક્તોએ દાદાના ચોકલેટ શણગાર સાથેના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આગામી દિવસોમાં પણ મોર પીછ, સ્ટેશનરી, ફૂલ અને રૂમાલ સહિત અન્ય ચીજવસ્તુઓના શણગાર કરવામાં આવનાર છે. જેનો લાભ લેવા વિસ્તારના અગ્રણી સુરભી તમાકુવાલાએ શ્રદ્ધાળુઓને આમંત્રણ પાઠવ્યું છે.

Tags:    

Similar News