પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ આજે પંચતત્વમાં વિલીન થશે. તેમના અંતિમ સંસ્કારમુંબઈના વરલી ખાતેના હિન્દુ સ્મશાનગૃહમાં બપોરે 3 થી 5 દરમિયાન કરવામાં આવશે. ગઈ કાલે એટલે કે સોમવારે 72 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું. તેમના નિધનની માહિતી તેમની પુત્રી નાયાબ ઉધાસે સોશિયલ મીડિયા પર આપી હતી.
પંકજ ઉધાસને પ્રખ્યાત ગઝલ 'ચિઠ્ઠી આયી હૈ'થી ઓળખ મળી હતી. 10 દિવસ પહેલાં શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સોમવારે સવારે 11 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પંકજના પરિવારમાં તેની પત્ની ફરીદા અને બે પુત્રીઓ નાયાબ અને રેવા છે.