શાયર મુનવ્વર રાણાનું ફરી વિવાદિત નિવેદન, કહ્યું યોગીની સરકાર બની તો આપણે 5 વર્ષ જીવતા નહીં રહીએ

શાયર મુનવ્વર રાણાએ ફરી વિવાદિત નિવેદન આપતા કહ્યુ છે કે, જો ફરી યોગી આદિત્યનાથ ચૂંટાયા તો આગામી પાંચ વર્ષમાં આપણે જીવતા નહીં રહીએ.

Update: 2022-01-29 12:32 GMT

શાયર મુનવ્વર રાણાએ ફરી વિવાદિત નિવેદન આપતા કહ્યુ છે કે, જો ફરી યોગી આદિત્યનાથ ચૂંટાયા તો આગામી પાંચ વર્ષમાં આપણે જીવતા નહીં રહીએ.યોગીની સરકાર ફરી બની તો હું યુપીમાંથી પલાયન કરવા માટે તૈયાર છું.રાણાએ કહ્યુ હતુ કે, આ પાંચ વર્ષ તો આપણે બચી ગયા પણ જો યોગી આદિત્યનાથની ફરી સરકાર બની તો બીજા પાંચ વર્ષ આપણે જિવતા નહીં રહીએ.મરવાનુ તો એક દિવસ છે જ પણ હું કમોતે મરવા નથી માંગતો.

ભાજપના નેતા પશ્ચિમ યુપીમાંથી હિજરત કરનારાઓને શોધી રહ્યા છે પણ હું અહીંયા બેઠો છું પલાયન કરવાની તૈયારી સાથે,મને કોઈ મળવા આવી રહ્યો નથી.જોકે રાણા માટે વિવાદિત નિવેદન આપવાનો આ પહેલો મોકો નથી.આ પહેલા પણ આ શાયરે મહર્ષિ વાલ્મિકીની તુલના તાલિબાનીઓ સાથે કરીને વિવાદ ભડકાવ્યો હતો.તેમની પર આ માટે પોલીસ કેસ પણ કરવામાં આવ્યો હતો.શાયર મુનવ્વર રાણાનું ફરી વિવાદિત નિવેદન, કહ્યું યોગીની સરકાર બની તો આપણે 5 વર્ષ જીવતા નહીં રહીએ

Tags:    

Similar News