અમિતાભ બચ્ચન લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત, મુંબઈમાં યોજાયો સમારોહ

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બુધવારે 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Update: 2024-04-26 04:49 GMT

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને બુધવારે 'લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુંબઈના દીનાનાથ મંગેશકર નાટ્યગૃહમાં આયોજિત આ એવોર્ડ ફંક્શનમાં અમિતાભ પુત્ર અભિષેક બચ્ચન સાથે પહોંચ્યા હતા. અહીં બિગ બીને ભારતીય સિનેમામાં તેમના અસાધારણ યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.મંગેશકર ભાઈ-બહેનોની ત્રીજી સૌથી મોટી બહેન ગાયિકા ઉષા મંગેશકરે આ કાર્યક્રમમાં અમિતાભને આ સન્માન આપ્યું હતું. આ પહેલા ગાયિકા આશા ભોંસલે અમિતાભને આ એવોર્ડ આપવાના હતા પરંતુ તેમની ખરાબ તબિયતના કારણે તેઓ આ કાર્યક્રમમાં હાજર રહી શક્યા ન હતા. આ એવોર્ડ સમારોહમાં સંગીતકાર એ.આર. રહેમાનને માસ્ટર દીનાનાથ એવોર્ડ અને અભિનેતા રણદીપ હુડ્ડાને વિશેષ એવોર્ડ આપવામાં આવ્યો હતો. અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરીનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

Tags:    

Similar News