ટીવી એક્ટ્રેસ માટે શોકના સમાચાર, માથેથી છૂટ્યો પિતાનો પડછાયો…..

પવિત્ર રિશ્તા સિરિયલથી ઘર-ઘરમાં જાણીતી બનેલી ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે માટે શોકના સમાચાર છે.

Update: 2023-08-13 05:43 GMT

પવિત્ર રિશ્તા સિરિયલથી ઘર-ઘરમાં જાણીતી બનેલી ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે માટે શોકના સમાચાર છે. અંકિતાના પિતા શશિકાંત લોખંડેનું 68 વર્ષની ઉંમરમાં અવસાન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં જ તેમને સ્વાસ્થ્યના કારણોસર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે એક વર્ષ પછી તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. બધાની જેમ અંકિતાને પણ પિતા પર ખૂબ પ્રેમ હતો. શશિકાંત લોખંડેની ડેડ બોડીને તેના એપાર્ટમેન્ટમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવી છે. તેમના અંતિમ સંસ્કાર રવિવારે સવારે 11 વાગ્યે મુંબઈના ઓશિવારામાં કરવામાં આવશે. અંકિતા લોખંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેના પિતા સાથે પણ ગાઢ બોન્ડિંગ શેર કરતી હતી અને તેની સાથે ફોટા અને વીડિયો શેર કરતી હતી. ઉલ્લેખનીય છે કે અંકિતા લોખંડે દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પણ ફ્રેન્ડના સુશાંતના આપઘાતના સમયે તે ખૂબ ચર્ચામાં આવી હતી. 

Tags:    

Similar News