આદિપુરુષના મેકર્સે થિયેટરમાં એક સીટ બુક રાખવાની કરી જાહેરાત, વાંચો મેકર્સ દ્વારા કેમ લેવાયો આવો નિર્ણય !

પ્રભાસની આગામી ફિલ્મ 'આદિપુરુષ' વર્ષ 2023ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ 16 જૂનના રોજ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે.

Update: 2023-06-06 07:16 GMT

પ્રભાસની આગામી ફિલ્મ 'આદિપુરુષ' વર્ષ 2023ની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મ 16 જૂનના રોજ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે.એટલે કે હવે ફિલ્મ રિલીઝ થવામાં માત્ર 10 દિવસ બાકી છે. આવી સ્થિતિમાં હાલ આ ફિલ્મના નિર્માતાઓએ 'આદિપુરુષ'ને સફળ બનાવવા વધુ એક જાહેરાત કરી છે. 'આદિપુરુષ' ફિલ્મના નિર્માતાએ મંગળવારે એક મોટી જાહેરાતકરી હતી કે 'આદિપુરુષ'ના સ્ક્રીનિંગ દરમિયાન દરેક થિયેટરમાં એક સીટ ખાલી રાખવામાં આવશે. એમના કહેવા મુજબ દરેક સિનેમા હોલમાં એક સીટ ભગવાન હનુમાનને સમર્પિત કરવામાં આવશે.નિર્માતાઓએ તેમના નિવેદનમાં કહ્યું, "જ્યાં પણ રામાયણનું પાઠ કરવામાં આવે છે, ત્યાં ભગવાન હનુમાનની મુલાકાત લે છે. તે અમારી માન્યતા છે. આ માન્યતાને માન આપીને, પ્રભાસની રામ-સ્ટારર આદિપુરુષના દરેક થિયેટર સ્ક્રીનીંગમાં એક સીટ ખાલી રાખવામાં આવશે અને એ સીટ ભગવાન હનુમાન માટે રિઝર્વ રહેશે."

Tags:    

Similar News