સુરત : ગુજરાતના ડી.જી.પી. શિવાનંદ ઝાએ કમિશનર કચેરી ખાતે પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી

Update: 2019-06-10 12:21 GMT

ગુજરાતના ડી.જી.પી. શિવાનંદ ઝાએ સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં સુરત સિટી અને સુરત રેન્જના તપાસણીની નોટ રીડિંગ માટે અને ક્રાઈમ બાબતના મુદ્દાને ચર્ચા કરવામાં આવી હતી. તેની સાથે બાળકીઓ ઉપર જે ઘટનાઓ બને છે તેને અટકાવી શકાયએ દિશામાં શું કરી શકાય તેની ચર્ચા કરવામાં આવી હતી.

ડી.જી.પી.એ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, ખટોદરા કસ્ટોડિયલ ડેથ એ કમનસીબ બનાવ છે. કોઈને છોડવામાં નહીં આવે. તક્ષશિલા અગ્નિકાંડમાં પણ કડક પગલાં લેવામાં આવશે. અને પુરાવાના આધારે પણ તપાસ કરી સંડોવાયેલાઓ સામે પગલાં લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, તક્ષશિલા અગ્નિકાંડના 15 દિવસ બાદ ડીજીપી સુરતની મુલાકાતે પહોંચ્યા છે.

Similar News