અરવલ્લી: છાત્રાલય નજીક જ મૃતદેહ દફનાવતા દીકરીઓમાં ડરનો માહોલ,તંત્રને પાઠવાયુ આવેદનપત્ર

મહિલાની દફનવિધી છાત્રાલયના પ્રવેશદ્વાર આગળ જ કરવામાં આવતા છાત્રાલયમાં રહેતી દીકરીઓમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

Update: 2023-08-20 09:56 GMT

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જાબચિતારીયા ગામમાં આવેલ માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત છાત્રાલયમાં મૃતદેહ દફનાવતા દીકરીઓમાં ડરનો માહોલ જોવા મળી રહયો છે અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના જાબચિતારીયા ગામમાં આવેલ માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત છાત્રાલયમાં આજુબાજુના વિસ્તારની ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારની દીકરીઓ રહી અભ્યાસ કરી રહી છે ત્યારે ગામમાં રહેતા જોગી સમાજમાં મહિલાનું મોત નિપજતા અગમ્ય કારણોસર મહિલાની દફનવિધી છાત્રાલયના પ્રવેશદ્વાર આગળ જ કરવામાં આવતા છાત્રાલયમાં રહેતી દીકરીઓમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે.

કેટલીક વિદ્યાર્થીનીઓ ડરની મારી અભ્યાસ છોડી ઘરે જતી રહેતા છાત્રાલયના ટ્રસ્ટીઓ અને ગૃહમાતા દ્વારા છાત્રાલયના પ્રવેશદ્વાર આગળ દફનાવેલ મૃતદેહ અન્ય સ્થળે દફનાવવામાં આવેની માંગ સાથે અધીક કલેકટરને આવેદન પત્ર આપવા છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતા દીકરીઓમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે...

Tags:    

Similar News