ભાવનગર : મામાકોઠાર વિસ્તારમાં ત્રણ શખ્સોએ કર્યો જીવલેણ હુમલો, છરીના ઘા મારી યુવાનને રહેંસી નાંખ્યો…

ભાવનગરના મામાકોઠાર વિસ્તારમાં ત્રણ શખ્સોએ અચાનક જ રસ્તે જતાં 2 યુવાન પર છરીના છરીના ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો

Update: 2023-09-22 12:39 GMT

ભાવનગરના મામાકોઠાર વિસ્તારમાં ત્રણ શખ્સોએ અચાનક જ રસ્તે જતાં 2 યુવાન પર છરીના છરીના ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં એક યુવાનનું મોત નીપજયું છે જ્યારે

ભાવનગરમાં મોડી રાત્રે યુવકની હત્યાની ઘટના સામે આવી છે. મામાકોઠાર પાસે અજાણ્યા શખ્સોએ તેના સાગરીતો સાથે મળીને બે યુવાન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં ચકચાર મચી જવા પામી છે. માનવ બારૈયા અને દિપક મેર નામના યુવકને છરીના ઘા મારી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં દિપકને પેટના ભાગે છરીનો ઉંડો ઘા લાગી જતા વધુ લોહી વહી જતા તેને તત્કાળ સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં દીપક મેરનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે માનવ બારૈયાને આઈસીયુમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે એસ.પી. સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ અંગે મૃતકના મામી નિકીતાબેને એ સી-ડીવીઝન પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Tags:    

Similar News